Tuesday, January 13, 2026

અમદાવાદમાં પ્લે હાઉસને ટક્કર મારે એવી 100 સ્માર્ટ આંગણવાડી બનશે, TV અને રમકડાં સહિતની સુવિધાઓ હશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં AMC દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં ગરીબ પરિવારોના બાળકો માટે આંગણવાડીઓ આશિર્વાદ સમાન બની રહી છે. હવે AMC ના સત્તાધિશો દ્વારા 100 જેટલી આંગણવાડીઓને રમકડાં સહિત અન્ય સુવિધા સાથે સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ 16 આંગણવાડીઓ સ્માર્ટ બનાવી દેવામાં આવી છે. જ્યારે 19 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાનું કામ ચાલુ છે. અને બાકીની આંગણવાડીઓને તબક્કાવાર સ્માર્ટ બનાવી દેવામાં આવશે.

AMC સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ સ્માર્ટ આંગણવાડીની વિગતો આપતાં કહ્યું કે, આ એનજીઓએ હાલ 16 આંગણવાડીની કાયાપલટ કરી દીધી છે અને તેમાં ગરીબ બાળકોને આવવુ તથા રમવુ ગમે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા આયોજનથી આંગણવાડીનુ વાતાવરણ બદલાઇ ગયુ છે અને બાળકો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.

આથી યુવા અનસ્ટોપેબલ નામની એનજીઓ સાથે મળીને શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી 100 જેટલી આંગણવાડીને પણ આધુનિક અને સ્માર્ટ બનાવવાનુ આયોજન કર્યુ છે. જેના માટે સીએસઆર ફંડનો ઉપયોગ કરવામાં આવશે, તેનાથી મ્યુનિ.તિજોરી ઉપર વધારાનુ કોઇ ભારણ પડવાનુ નથી તેમ સ્ટે.કમિટી ચેરમેને જણાવ્યું હતું.

100 આંગણવાડીને આકર્ષક રંગરોગાન, રમતગમતનાં સાધનો, રમકડા, સ્માર્ટ ટીવીથી સજ્જ કરવામાં આવશે. તદઉપરાંત સેનિટેશન રિનોવેશન, પાણી, એજ્યુકેશનલ પેઇન્ટીંગ, પ્લે ગ્રાઉન્ડ, ધાબા ઉપર વોટર પ્રુફિંગ, આંગણવાડીમાં અંદર જરૂરી રિપેરીંગ, પીવીસી કે વુડન ફ્લોરીંગ અને નવુ ઇલેકટ્રીક વાયરીંગ, સાધનો લગાવાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....