Friday, March 13, 2026

અમદાવાદમાં આ પોલીસ કોન્સ્ટેબલે ‘કેપ’ ન પહેરી એક નાની ભૂલ કરી, ACP એે શિસ્તભંગ ગણીને રૂા.10નો દંડ ફટકારાયો

spot_img
Share

અમદાવાદ : પોલીસ દ્વારા નાગરિકો જો નિયમ ભંગ કરે તો દંડ વસૂલાય છે. પરંતુ જ્યારે પોલીસ કોન્સ્ટેબલ કે અન્ય કર્મચારી ભૂલ કરે ત્યારે શું? આવા એક કિસ્સામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને ACP એે યૂનિફોર્મ ડિસિપ્લિનનો પાઠ ભણાવવા માટે 10 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ઉલ્લેખનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલે સીનિયર અધિકારીની સામે કેપ નહોતી પહેરી જેના પરિણામે ACP એ તેને દંડ ફટકાર્યો હતો. આ ઘટના અત્યારે ઘણી વાયરલ થઈ રહી છે અને યૂનિફોર્મ કોડને લઈને કેટલું સ્ટ્રિક્ટ એક્શન પોલીસ કર્મીઓ પર પણ લેવાઈ શકે છે એ પણ દર્શાવાઈ રહ્યું છે.

અમદાવાદ મિરરના અહેવાલ મુજબ આ ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની છે, તેમના ડ્યુટીના સમયગાળા દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ અંદર સ્ટેશનમાં કેપ પહેર્યા વિના જ આવ્યો હતો. હવે આ સમયે ઓફિસર હતા તેમને યૂનિફોર્મ ડિસિપ્લિનનું ઉદાહરણ સ્થાપવું હતું. જેથી કરીને તેમણે દંડ ફટકારવાનું વિચાર્યું. અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે કોન્સ્ટેબલને ઘણી ગરમી લાગતી હતી અને તેના કારણે હાથમાં કેપ રાખીને ઊભો હતો. તેને થોડી ઠંડક જોઈતી હતી.

સરખેજ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ ઈકબાલ હુસેન ઈસ્માઈલ કામાર્થ ખ ડિવિઝન પોલીસ સ્ટેશનની ઓફીસે ગયો હતો. અહીં ACP અતુલ વાળંદ સામે આ ઘટના ઉજાગર થઈ હતી. જોકે તેણે કેપ કેમ કાઢી એ અંગે સાહેબની પાસે જઈને સ્પષ્ટતા પણ કરી હતી.જોકે ACP ને આ બહાનું લાગ્યું અને તેમને શિસ્તભંગ સમજીને જે જુનિયર લેવલના અધિકારીઓ હતા તેમને આની સામે એક્શન લેવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ ઘટના વાયરલ થતા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે.

એટલું જ નહીં ઘણા પોલીસ અધિકારીઓ આનાથી પણ મોટી મોટી ભૂલો કરી શિસ્ત ભંગ કરતા હોય છે. તેવા કટાક્ષ થઇ રહ્યા છે બીજી બાજુ કેટલાક લોકો આને તાનાશાહી ઘટના તરીકે પણ કહી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...