Friday, January 23, 2026

અમદાવાદમાં આ પોલીસ કોન્સ્ટેબલે ‘કેપ’ ન પહેરી એક નાની ભૂલ કરી, ACP એે શિસ્તભંગ ગણીને રૂા.10નો દંડ ફટકારાયો

spot_img
Share

અમદાવાદ : પોલીસ દ્વારા નાગરિકો જો નિયમ ભંગ કરે તો દંડ વસૂલાય છે. પરંતુ જ્યારે પોલીસ કોન્સ્ટેબલ કે અન્ય કર્મચારી ભૂલ કરે ત્યારે શું? આવા એક કિસ્સામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને ACP એે યૂનિફોર્મ ડિસિપ્લિનનો પાઠ ભણાવવા માટે 10 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ઉલ્લેખનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલે સીનિયર અધિકારીની સામે કેપ નહોતી પહેરી જેના પરિણામે ACP એ તેને દંડ ફટકાર્યો હતો. આ ઘટના અત્યારે ઘણી વાયરલ થઈ રહી છે અને યૂનિફોર્મ કોડને લઈને કેટલું સ્ટ્રિક્ટ એક્શન પોલીસ કર્મીઓ પર પણ લેવાઈ શકે છે એ પણ દર્શાવાઈ રહ્યું છે.

અમદાવાદ મિરરના અહેવાલ મુજબ આ ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની છે, તેમના ડ્યુટીના સમયગાળા દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ અંદર સ્ટેશનમાં કેપ પહેર્યા વિના જ આવ્યો હતો. હવે આ સમયે ઓફિસર હતા તેમને યૂનિફોર્મ ડિસિપ્લિનનું ઉદાહરણ સ્થાપવું હતું. જેથી કરીને તેમણે દંડ ફટકારવાનું વિચાર્યું. અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે કોન્સ્ટેબલને ઘણી ગરમી લાગતી હતી અને તેના કારણે હાથમાં કેપ રાખીને ઊભો હતો. તેને થોડી ઠંડક જોઈતી હતી.

સરખેજ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ ઈકબાલ હુસેન ઈસ્માઈલ કામાર્થ ખ ડિવિઝન પોલીસ સ્ટેશનની ઓફીસે ગયો હતો. અહીં ACP અતુલ વાળંદ સામે આ ઘટના ઉજાગર થઈ હતી. જોકે તેણે કેપ કેમ કાઢી એ અંગે સાહેબની પાસે જઈને સ્પષ્ટતા પણ કરી હતી.જોકે ACP ને આ બહાનું લાગ્યું અને તેમને શિસ્તભંગ સમજીને જે જુનિયર લેવલના અધિકારીઓ હતા તેમને આની સામે એક્શન લેવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ ઘટના વાયરલ થતા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે.

એટલું જ નહીં ઘણા પોલીસ અધિકારીઓ આનાથી પણ મોટી મોટી ભૂલો કરી શિસ્ત ભંગ કરતા હોય છે. તેવા કટાક્ષ થઇ રહ્યા છે બીજી બાજુ કેટલાક લોકો આને તાનાશાહી ઘટના તરીકે પણ કહી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...