Sunday, September 14, 2025

અમદાવાદમાં AMCના પ્લોટ અને જાહેર રોડ પર ગંદકી કરતા AMCના 3 કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનો દંડ કરાયો

Share

Share

અમદાવાદ : શહેરમાં જાહેર રોડ ઉપર કચરો નાખી ગંદકી કરતા નાગરિકો અને ધંધાકીય એકમો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ રોડ અને અન્ય કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા AMC પ્લોટ અને જાહેર રોડ ઉપર કચરો મૂકી રાખી ગંદકી કરવામાં આવતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જોધપુર વોર્ડમાં AMCના ઈજનેર વિભાગના કોન્ટ્રાકટરો દ્વારા તેઓની કામગીરી દરમિયાન નીકળતા કચરા કે વેસ્ટનો નિકાલ નિયત સ્થળે ન કરતાં મ્યુ.પ્લોટ અને રોડ પર ગંદકી કરતા કાર્યવાહી કરાઇ છે. ઈજનેર(પ્રોજેકટ) વિભાગના અને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવનાર કોન્ટ્રાકટર બી.આર.ગોયલ દ્વારા રાહુલ ટાવર ચાર રસ્તાથી ઓમ ટાવર, અશ્વમેઘ ચાર રસ્તાથી ઓમકારેશ્વર મંદિર સુધીના રોડની કામગીરી દરમિયાન માટી પુરણી, રોડાં વગેરેનો નીકળેલ વેસ્ટ AMC પ્લોટમાં નાખતા 5 લાખનો દંડ ફટકારવા અંગેની નોટીસ આપવામાં આવી છે.

સરખેજ વોર્ડમાં કોન્ટ્રાક્ટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને પાંચા તળાવની સામેના ખુલ્લા AMC પ્લોટમાં કામગીરી દરમિયાન માટી પુરણી, રોડાં વગેરેનો નીકળેલો વેસ્ટ નાંખી ગંદકી કરતાં માલુમ પડતાં 2 લાખનો દંડ વસુલવા નોટીસ આપવામાં આવી છે. જ્યારે મકતમપુરા વોર્ડમાં કોન્ટ્રાકટર યુગ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને મકતમપુરા વિસ્તારમાં આવેલ ટી.પી.85 રોડની ફુટપાથ અને કવિંગના કામના નીકળેલ વેસ્ટનો નિકાલ ન કરી મુકી રાખી ગંદકી કરતાં 1 લાખની પેનેલ્ટી વસુલવા નોટીસ આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...