અમદાવાદ : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PCR વાન-7ના પોલીસ કોન્સ્ટેબલ જયદીપ આચાર્ય અને હોમગાર્ડ કિરણ પરમાર તેમજ તેમના સાથી ભૂષણ પાટીલ સામે રૂ.3500ની રકમની લાંચના કેસમાં ગુનો નોંધ્યો છે.રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશનની સામે જ એક કારે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી. ત્યાર બાદ PCR વાન-7 આવી પહોંચી હતી અને આરોપી પોલીસ જયદીપ અને કિરણે વિવાદનો ઉકેલ લાવી દીધો હતો. ફરિયાદીને પતાવટમાં રૂ. 9500 મળ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશન સામે ફરિયાદીનું વાહન એક કાર સાથે અથડાયું હતું. ત્યારબાદ PCR વાન-7 આવી અને આરોપી પોલીસ જયદિપ અને કિરણે વિવાદનું સમાધાન કર્યું. જેમાં કારચાલક પાસેથી સમાધાન પેટે એક્ટિવા ચાલકને 9500 રૂપિયા આપ્યા હતા. સમાધાન કરાવ્યા બાદ ફોન કરીને એક્ટિવા ચાલક પાસેથી બે પોલીસકર્મીઓએ 3500 રૂપિયાની લાંચ માગી હતી. આ લાંચની રકમ પોલીસકર્મી વતી અન્ય એક વ્યક્તિ લઈ રહ્યો હતો. જેને ACBએ ઝડપી પાડ્યો હતો તથા એક હોમગાર્ડ જવાનની પણ ACBએ ધરપકડ કરી છે. જ્યારે એક પોલીસકર્મી ફરાર છે.
સમગ્ર કેસમાં ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. કામગીરી દરમિયાન આરોપી કિરણ પરમારે ફરિયાદીને લાંચની રકમ ચાંદખેડામાં પટેલ કાર એસેસરીની દુકાનમાં મુકી જવા સૂચના આપી હતી. જોકે, ACB અધિકારીઓએ સાથી ભૂષણને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપી હોમગાર્ડ કિરણની પણ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કોન્સ્ટેબલ જયદિપ આચાર્ય ફરાર છે.


