Saturday, March 14, 2026

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરી બદનામ, લાંચ કેસમાં ACB એ PCR વાન કોન્સ્ટેબલ સહિત અન્યો સામે ગુનો નોંધ્યો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PCR વાન-7ના પોલીસ કોન્સ્ટેબલ જયદીપ આચાર્ય અને હોમગાર્ડ કિરણ પરમાર તેમજ તેમના સાથી ભૂષણ પાટીલ સામે રૂ.3500ની રકમની લાંચના કેસમાં ગુનો નોંધ્યો છે.રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશનની સામે જ એક કારે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી. ત્યાર બાદ PCR વાન-7 આવી પહોંચી હતી અને આરોપી પોલીસ જયદીપ અને કિરણે વિવાદનો ઉકેલ લાવી દીધો હતો. ફરિયાદીને પતાવટમાં રૂ. 9500 મળ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશન સામે ફરિયાદીનું વાહન એક કાર સાથે અથડાયું હતું. ત્યારબાદ PCR વાન-7 આવી અને આરોપી પોલીસ જયદિપ અને કિરણે વિવાદનું સમાધાન કર્યું. જેમાં કારચાલક પાસેથી સમાધાન પેટે એક્ટિવા ચાલકને 9500 રૂપિયા આપ્યા હતા. સમાધાન કરાવ્યા બાદ ફોન કરીને એક્ટિવા ચાલક પાસેથી બે પોલીસકર્મીઓએ 3500 રૂપિયાની લાંચ માગી હતી. આ લાંચની રકમ પોલીસકર્મી વતી અન્ય એક વ્યક્તિ લઈ રહ્યો હતો. જેને ACBએ ઝડપી પાડ્યો હતો તથા એક હોમગાર્ડ જવાનની પણ ACBએ ધરપકડ કરી છે. જ્યારે એક પોલીસકર્મી ફરાર છે.

સમગ્ર કેસમાં ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. કામગીરી દરમિયાન આરોપી કિરણ પરમારે ફરિયાદીને લાંચની રકમ ચાંદખેડામાં પટેલ કાર એસેસરીની દુકાનમાં મુકી જવા સૂચના આપી હતી. જોકે, ACB અધિકારીઓએ સાથી ભૂષણને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપી હોમગાર્ડ કિરણની પણ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કોન્સ્ટેબલ જયદિપ આચાર્ય ફરાર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...