Sunday, January 25, 2026

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરી બદનામ, લાંચ કેસમાં ACB એ PCR વાન કોન્સ્ટેબલ સહિત અન્યો સામે ગુનો નોંધ્યો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PCR વાન-7ના પોલીસ કોન્સ્ટેબલ જયદીપ આચાર્ય અને હોમગાર્ડ કિરણ પરમાર તેમજ તેમના સાથી ભૂષણ પાટીલ સામે રૂ.3500ની રકમની લાંચના કેસમાં ગુનો નોંધ્યો છે.રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશનની સામે જ એક કારે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી. ત્યાર બાદ PCR વાન-7 આવી પહોંચી હતી અને આરોપી પોલીસ જયદીપ અને કિરણે વિવાદનો ઉકેલ લાવી દીધો હતો. ફરિયાદીને પતાવટમાં રૂ. 9500 મળ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશન સામે ફરિયાદીનું વાહન એક કાર સાથે અથડાયું હતું. ત્યારબાદ PCR વાન-7 આવી અને આરોપી પોલીસ જયદિપ અને કિરણે વિવાદનું સમાધાન કર્યું. જેમાં કારચાલક પાસેથી સમાધાન પેટે એક્ટિવા ચાલકને 9500 રૂપિયા આપ્યા હતા. સમાધાન કરાવ્યા બાદ ફોન કરીને એક્ટિવા ચાલક પાસેથી બે પોલીસકર્મીઓએ 3500 રૂપિયાની લાંચ માગી હતી. આ લાંચની રકમ પોલીસકર્મી વતી અન્ય એક વ્યક્તિ લઈ રહ્યો હતો. જેને ACBએ ઝડપી પાડ્યો હતો તથા એક હોમગાર્ડ જવાનની પણ ACBએ ધરપકડ કરી છે. જ્યારે એક પોલીસકર્મી ફરાર છે.

સમગ્ર કેસમાં ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. કામગીરી દરમિયાન આરોપી કિરણ પરમારે ફરિયાદીને લાંચની રકમ ચાંદખેડામાં પટેલ કાર એસેસરીની દુકાનમાં મુકી જવા સૂચના આપી હતી. જોકે, ACB અધિકારીઓએ સાથી ભૂષણને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપી હોમગાર્ડ કિરણની પણ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કોન્સ્ટેબલ જયદિપ આચાર્ય ફરાર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...