Wednesday, March 4, 2026

નવા વાડજ વિસ્તારમાં 25 કરોડના ખર્ચે ભાવસાર સમાજનું 7 માળનું ઉંચુ ભવન બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં 132 ફૂટ રીંગ રોડ પર 25 કરોડના ખર્ચે 7 માળનું ઉંચુ ભાવસાર સમાજના સૌથી મોટા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ભવનને તૈયાર કરવામાં માટે દોઢ વર્ષ જેટલો સમય લાગશે.છેલ્લા એક વર્ષમાં સમાજના અગ્રણીઓ પાસેથી 5 કરોડનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ ગિરીશ ભાવસારના જણાવ્યા અનુસાર 25 વર્ષ પહેલાં ભાવસાર સમાજનું ભવન તૈયાર કરવામાં આવ્યું હતું, ભવન નાનું પડતું હોવાના કારણે સમાજના ટ્રસ્ટીઓ નક્કી કર્યું કે નવીન ભવનનું નિર્માણ કરવામાં આવે જેથી 65 કરોડના ખર્ચે નવીન ભવન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે ભવનનો વિસ્તાર વધારવા માટે સરકાર પાસેથી 2.5 કરોડના 4300 વારની જગ્યા ખરીદીને રાજ્યનું ભવસાર સમાજનું સૌથી મોટું ભવન તૈયાર કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાવસાર સમાજના અગ્રણીઓ દ્વારા વધુ 20 કરોડ દાન એકત્રિત કરવામાં આવશે. ગત શનિવારે નવા વાડજ ખાતે ભાવસાર સમાજના ભવનનું ક્ળશ પૂજા-ઘટ સ્થાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સાત માળના ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સમાજને ઉપયોગી હોલ તૈયાર કરવામાં આવશે.1 હજાર ફૂટ વિસ્તારમાં મહિલા ઉત્કર્ષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. 4300 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવશે. ત્રીજાથી ચોથા ફ્લોર પર કન્યા છાત્રાલય તૈયાર કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ જગ્યા વસતા ભાવસાર સમાજના વિદ્યાર્થી આ ભવનનો લાભ લઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...