Friday, February 27, 2026

નવા વાડજના અભિલાષા એપાર્ટમેન્ટ સહિત અનેક વિસ્તારોમાં કુતરાઓનો આતંક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે સ્ટેડિયમ વોર્ડમાં આવેલ અભિલાષા એપાર્ટમેન્ટમાં ચાલતા જતા કે વાહન લોકોની ઉપર એકા એક આવીને કુતરા હુમલો કરતા હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે. એક જ સાથે સાત થી આઠ કુતારોનું ટોળું હુમલો કરે છે ત્યારે અનેક રહીશો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.અભિલાષા એપાર્ટમેન્ટ સિવાય નવા વાડજના અનેક વિસ્તારોમાં રખડતા કુતરા વધારે જોવા મળી રહ્યા છે.

નવા વાડજમાં ૧૩૨ ફૂટ રિંગ રોડ પર અનેક ઠેકાણે, જુહુ પાર્ક પાસે ભાવસાર હોસ્ટેલ પાસે, મહાત્મા પાર્ક પાસેના અલગ અલગ વિસ્તારોમાં કુતરાઓનો ત્રાસ છે. નવા વાડજમાં રખડતા કુતરાઓનો એક પ્રકારનો કાળો કેર જોવા મળી રહ્યો છે. કૂતરા ક્યારેક એટલી હદે હુમલો કર્યો હોય છેકે દર્દીને સારા થવામાં ઘણો સમય નિકળી જાય છે.તંત્ર દ્વારા તાત્કાલિક ના ધોરણે કૂતરા પકડી પાડવામાં આવે તેવી નવા વાડજના સ્થાનિક લોકોની માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...