Thursday, April 30, 2026

અમદાવાદમાં AMTS બસે વઘુ એકનો ભોગ લીધો, સાઈકલ પર જતી ઘો.9ની વિધાર્થીનીને ટક્કર મારતા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસે વધુ એકનો ભોગ લીધો છે. મણિનગરમાં જવાહરચોક વિસ્તારમાં AMTSની બસે સાઈકલ લઈને જતી એક વિધાર્થીનીને ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચતા જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે AMTS ના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રામબાગની જીવકોરબા સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિની ટ્યુશનમાં સાઈકલ લઈને જઈ રહ્યી હતી. તે સમયે મણિનગરના જવાહર ચોક ભૈરવનાથ માર્ગ પર પૂરપાટ ઝડપે જતી AMTSની બસે તેને અડફેટે લીધી હતી. જેમાં બસનું આગલું ટાયર તેના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના અંગેની ટ્યુશન કલાસીસમાં જાણ થતા શિક્ષક સહિત અનેક સાથી વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ સાથે જ પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા, જ્યાં કરુણ દૃશ્યો સર્જાયા હતાં. બીજી તરફ આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિદ્યાથીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. AMTS બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નાગરિકોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડતી એવી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસ હવે અમદાવાદ મોત ટ્રાન્સપોર્ટ સર્વિસ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. AMTS બસના ડ્રાઇવરો દ્વારા દર બે દિવસે એક અકસ્માત કરવામાં આવે છે અને દર મહિને એક વ્યક્તિ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે.

અમદાવાદમાં AMTS અને BRTS બસ ચાલકો દ્વારા સતત અકસ્માતોને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ ચાલકો સુધારવાનું નામ લેતા નથી.હાલ તો તંત્ર દ્વારા ટ્રેનીંગ આપ્યા પછી ડ્રાઇવરોને કામ પર રાખી રહ્યા હોવાનું જણાવે છે પરંતુ AMTS બસથી અકસ્માતો અને મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. બસના ડ્રાઈવરો અને ટ્રેનિંગ આપવાની વાત હતી, પરંતુ માત્ર દેખાડા ખાતર ટ્રેનિંગ થતી હોય એવું સ્પષ્ટ જણાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...