Wednesday, March 4, 2026

અમદાવાદમાં AMTS બસે વઘુ એકનો ભોગ લીધો, સાઈકલ પર જતી ઘો.9ની વિધાર્થીનીને ટક્કર મારતા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસે વધુ એકનો ભોગ લીધો છે. મણિનગરમાં જવાહરચોક વિસ્તારમાં AMTSની બસે સાઈકલ લઈને જતી એક વિધાર્થીનીને ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચતા જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે AMTS ના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રામબાગની જીવકોરબા સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિની ટ્યુશનમાં સાઈકલ લઈને જઈ રહ્યી હતી. તે સમયે મણિનગરના જવાહર ચોક ભૈરવનાથ માર્ગ પર પૂરપાટ ઝડપે જતી AMTSની બસે તેને અડફેટે લીધી હતી. જેમાં બસનું આગલું ટાયર તેના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના અંગેની ટ્યુશન કલાસીસમાં જાણ થતા શિક્ષક સહિત અનેક સાથી વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ સાથે જ પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા, જ્યાં કરુણ દૃશ્યો સર્જાયા હતાં. બીજી તરફ આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિદ્યાથીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. AMTS બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નાગરિકોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડતી એવી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસ હવે અમદાવાદ મોત ટ્રાન્સપોર્ટ સર્વિસ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. AMTS બસના ડ્રાઇવરો દ્વારા દર બે દિવસે એક અકસ્માત કરવામાં આવે છે અને દર મહિને એક વ્યક્તિ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે.

અમદાવાદમાં AMTS અને BRTS બસ ચાલકો દ્વારા સતત અકસ્માતોને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ ચાલકો સુધારવાનું નામ લેતા નથી.હાલ તો તંત્ર દ્વારા ટ્રેનીંગ આપ્યા પછી ડ્રાઇવરોને કામ પર રાખી રહ્યા હોવાનું જણાવે છે પરંતુ AMTS બસથી અકસ્માતો અને મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. બસના ડ્રાઈવરો અને ટ્રેનિંગ આપવાની વાત હતી, પરંતુ માત્ર દેખાડા ખાતર ટ્રેનિંગ થતી હોય એવું સ્પષ્ટ જણાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...