Friday, March 13, 2026

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ AMC કમિશનરે કરી જાહેર SOP, આ જગ્યાઓ પર થશે રેગ્યુલર ચેકિંગ

spot_img
Share

અમદાવાદ : રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગર પાલિકા સફાળી જાગી છે. AMC કમિશ્નરે બાંધકામ અને ફાયર સેફ્ટી મુદ્દે એક SOP જાહેર કરી છે. મ્યુનિસિપલ કમિશ્નરે જાહેર કરેલી SOP પ્રમાણે હવેથી શહેરના તમામ ગેમઝોન,થિએટર અને ટ્યુશન ક્લાસીસમાં રેગ્યુલર ચેકિંગ થશે. મોલ અને હોટેલ જેવી ભીડભાડ વાળી જગ્યા પર ચેકિંગ કરવામાં આવશે. દર 3 મહિને નવી BU મેળવેલી બાંધકામની ચકાસણી કરાશે. પ્લાન પાસ પ્રમાણે બાંધકામ છે કે નહીં તેની તપાસ થશે, વોર્ડ ઇન્સપેક્ટર ડેપ્યુટી TDOને કામગીરીનો રિપોર્ટ કરશે. ડેપ્યુટી TDO સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને રિપોર્ટ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્ય સરકારની સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, શાળા, મોલ મલ્ટિપ્લેક્સ કોમ્યુનિટી હોલ થિયેટર ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરવાની ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવવાની સૂચના આપી હતી. અમદાવાદની તમામ સ્કૂલોમાં ત્રણ દિવસથી ફાયર સેફ્ટી અને NOC બાબતે તપાસ ચાલી રહી છે. સ્કૂલોમાં છાપરા હોય અથવા તો BU પરમિશન કરતા વધુ બાંધકામ કર્યું હોય કે, જેનાથી વિદ્યાર્થીઓને જોખમ રહેલું હોય તો તે અંગે સ્કૂલ પાસે ખુલાસો માંગી કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહીના પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર NOC લેવામાં આવી છે કે, કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવશે જો ફાયર NOC લેવાની થતી નથી તો ફાયરના સાધનો અથવા સિસ્ટમ લગાવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. જો કોઈપણ હોસ્પિટલ દ્વારા બી યુ પરમિશન લીધા વિના અથવા પ્લાન પાસ વિના તેમજ ફાયર NOC વગર ચાલતી હશે તો તેને નોટિસ આપવાની અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...