Wednesday, January 21, 2026

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ AMC કમિશનરે કરી જાહેર SOP, આ જગ્યાઓ પર થશે રેગ્યુલર ચેકિંગ

spot_img
Share

અમદાવાદ : રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગર પાલિકા સફાળી જાગી છે. AMC કમિશ્નરે બાંધકામ અને ફાયર સેફ્ટી મુદ્દે એક SOP જાહેર કરી છે. મ્યુનિસિપલ કમિશ્નરે જાહેર કરેલી SOP પ્રમાણે હવેથી શહેરના તમામ ગેમઝોન,થિએટર અને ટ્યુશન ક્લાસીસમાં રેગ્યુલર ચેકિંગ થશે. મોલ અને હોટેલ જેવી ભીડભાડ વાળી જગ્યા પર ચેકિંગ કરવામાં આવશે. દર 3 મહિને નવી BU મેળવેલી બાંધકામની ચકાસણી કરાશે. પ્લાન પાસ પ્રમાણે બાંધકામ છે કે નહીં તેની તપાસ થશે, વોર્ડ ઇન્સપેક્ટર ડેપ્યુટી TDOને કામગીરીનો રિપોર્ટ કરશે. ડેપ્યુટી TDO સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને રિપોર્ટ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્ય સરકારની સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, શાળા, મોલ મલ્ટિપ્લેક્સ કોમ્યુનિટી હોલ થિયેટર ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરવાની ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવવાની સૂચના આપી હતી. અમદાવાદની તમામ સ્કૂલોમાં ત્રણ દિવસથી ફાયર સેફ્ટી અને NOC બાબતે તપાસ ચાલી રહી છે. સ્કૂલોમાં છાપરા હોય અથવા તો BU પરમિશન કરતા વધુ બાંધકામ કર્યું હોય કે, જેનાથી વિદ્યાર્થીઓને જોખમ રહેલું હોય તો તે અંગે સ્કૂલ પાસે ખુલાસો માંગી કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહીના પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર NOC લેવામાં આવી છે કે, કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવશે જો ફાયર NOC લેવાની થતી નથી તો ફાયરના સાધનો અથવા સિસ્ટમ લગાવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. જો કોઈપણ હોસ્પિટલ દ્વારા બી યુ પરમિશન લીધા વિના અથવા પ્લાન પાસ વિના તેમજ ફાયર NOC વગર ચાલતી હશે તો તેને નોટિસ આપવાની અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...