Thursday, March 12, 2026

અમદાવાદમાં શાળા-કોલેજો સહિત આ એકમોએ મુખ્ય દરવાજા પર ફાયર NOCનું બોર્ડ ફરજિયાત લગાવવું પડશે

spot_img
Share

અમદાવાદ : રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનર દ્વારા હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર NOCના બોર્ડ લગાવવા પડશે.

રાજ્ય સરકારે પણ ફાયર સેફ્ટી બાબતે કડક પગલાં હાથ ઘર્યા છે. જેને લઈ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફાયર સેફ્ટી બાબતે હવે મહત્વનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ જે મુજબ હવે આગામી દિવસોમાં મહત્વના તમામ જાહેર સ્થળો કે જ્યાં ભીડ એકઠી થતી હોય અને ફાયર NOCની જરુર હોય ત્યાં એ NOC નજર આવે એમ બોર્ડ લગાવવા પડશે.આ અંગે જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે .જે લોકોએ ફાયર NOC લીધી છે. તે તમામ લોકોએ લાગુ પડશે અને તેમને લગાવવાની અમે સૂચના પણ આપીશું, એવું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે જાહેર સ્થળો જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા તમામ સ્થળો પર મિલકતના માલિક, ભાડુઆત, કબજેદાર, સંચાલક દ્વારા બિલ્ડિંગની મુખ્ય એન્ટ્રી (બિલ્ડીંગમાં અંદર જવાનો રસ્તો)માં 3 ફૂટ×2 ફૂટ જગ્યામાં ફાયર NOC નંબર, કઈ તારીખે લીધી હતી અને કઈ તારીખે પૂરી થાય છે. તેની વિગત લાલ કલરના બેકગ્રાઉન્ડ સફેદ કલરમાં લખેલા બોર્ડમાં દર્શાવવાનું રહેશે. જે લખાણ વખતો-વખત ફાયર સેફટી સર્ટીફીકેટની રીન્યુઅલ સાથે વિગતો પણ અપડેટ કરવાની રહેશે અને તે બોર્ડ હંમેશા કોઇપણ અવર-જવર કરતા વ્યક્તિને સરળતાપૂર્વક પ્રવેશમાં જ ધ્યાને આવે તે પ્રમાણે લગાવવાનું રહેશે

કોણે કોણે ફાયર NOC બોર્ડ લગાવવાના રહેશે
હાઇરાઇઝ બિલ્ડીંગો
મોલ – મલ્ટિપ્લેક્સ
સ્કૂલ – કોલેજો
ધાર્મિક સ્થળો
હોસ્પિટલો
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ
હોટલો – રેસ્ટોરન્ટ
હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ
સ્ટેડીયમ – સ્પોર્ટસ કોમ્પ્લેક્સ
સુપર માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ
બાકી તમામ જેમણે ફાયર NOC લેવી ફરજીયાત છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...