Monday, January 19, 2026

અમદાવાદમાં શાળા-કોલેજો સહિત આ એકમોએ મુખ્ય દરવાજા પર ફાયર NOCનું બોર્ડ ફરજિયાત લગાવવું પડશે

spot_img
Share

અમદાવાદ : રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનર દ્વારા હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર NOCના બોર્ડ લગાવવા પડશે.

રાજ્ય સરકારે પણ ફાયર સેફ્ટી બાબતે કડક પગલાં હાથ ઘર્યા છે. જેને લઈ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફાયર સેફ્ટી બાબતે હવે મહત્વનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ જે મુજબ હવે આગામી દિવસોમાં મહત્વના તમામ જાહેર સ્થળો કે જ્યાં ભીડ એકઠી થતી હોય અને ફાયર NOCની જરુર હોય ત્યાં એ NOC નજર આવે એમ બોર્ડ લગાવવા પડશે.આ અંગે જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે .જે લોકોએ ફાયર NOC લીધી છે. તે તમામ લોકોએ લાગુ પડશે અને તેમને લગાવવાની અમે સૂચના પણ આપીશું, એવું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે જાહેર સ્થળો જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા તમામ સ્થળો પર મિલકતના માલિક, ભાડુઆત, કબજેદાર, સંચાલક દ્વારા બિલ્ડિંગની મુખ્ય એન્ટ્રી (બિલ્ડીંગમાં અંદર જવાનો રસ્તો)માં 3 ફૂટ×2 ફૂટ જગ્યામાં ફાયર NOC નંબર, કઈ તારીખે લીધી હતી અને કઈ તારીખે પૂરી થાય છે. તેની વિગત લાલ કલરના બેકગ્રાઉન્ડ સફેદ કલરમાં લખેલા બોર્ડમાં દર્શાવવાનું રહેશે. જે લખાણ વખતો-વખત ફાયર સેફટી સર્ટીફીકેટની રીન્યુઅલ સાથે વિગતો પણ અપડેટ કરવાની રહેશે અને તે બોર્ડ હંમેશા કોઇપણ અવર-જવર કરતા વ્યક્તિને સરળતાપૂર્વક પ્રવેશમાં જ ધ્યાને આવે તે પ્રમાણે લગાવવાનું રહેશે

કોણે કોણે ફાયર NOC બોર્ડ લગાવવાના રહેશે
હાઇરાઇઝ બિલ્ડીંગો
મોલ – મલ્ટિપ્લેક્સ
સ્કૂલ – કોલેજો
ધાર્મિક સ્થળો
હોસ્પિટલો
એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ
હોટલો – રેસ્ટોરન્ટ
હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ
સ્ટેડીયમ – સ્પોર્ટસ કોમ્પ્લેક્સ
સુપર માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષ
બાકી તમામ જેમણે ફાયર NOC લેવી ફરજીયાત છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...