Thursday, March 5, 2026

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરના ટોલમાં વધારો, આ રહ્યો ટોલ Tax નો નવો ભાવ

spot_img
Share

અમદાવાદ : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આજથી દેશભરના લગભગ 1100 ટોલ પ્લાઝા માટેના સુધારેલા ટોલ દરોની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં ટોલ પ્લાઝા પર 3 ટકા થી 5 ટકા વધારો થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે એ એક એવો હાઇવે છે કે જેના માટે ટોલ વધાર્યો છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વેમાં હાલમાં વન-વેના 135 અને રિટર્ન જર્નીના 205 રૂપિયા છે. હવે પાંચ ટકા વધારો થયો છે.તેના લીધે અમદાવાદથી આણંદના 85 રૂપિયા થઈ જશે. જ્યારે અમદાવાદથી નડિયાદના 65 રૂપિયા ચૂકવવા પડશે.

જ્યારે કોમર્સિયલ માટે અમદાવાદ અને નડિયાદ વચ્ચે બસના 105 રૂપિયા અને ટ્રકના 220 રૂપિયા છે. અમદાવાદથી આણંદ માટે હળવા પેસેન્જર વ્હીકલ્સ માટે બસના 140 અને ટ્રકના 290 રૂપિયા ચૂકવવા પડશે. વડોદરા હળવા વાહનોમાં બસ માટે 220 અને ટ્રક માટે 465 રૂપિયા ચૂકવવા પડશે.

વસાદ ટોલ પર નવા ભાવ કારના 150, હળવા વાહનોના 230 અને બસ અને ટ્રકના 475 રૂપિયા થશે. ખેડા ટોલ પર નવા ભાવમાં કારના 150, હળવા વાહનના 165 અને બસ-ટ્રકના 340 રૂપિયા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...