Saturday, March 28, 2026

સાવધાન અમદાવાદીઓ, ચાલુ વરસાદે આ 28 અંડરપાસમાં ન જવાની ચેતવણી, 18 અંડરપાસમાં પંપ મૂકાશે

spot_img
Share

અમદાવાદ : ચોમાસાની સિઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે શહેરમાં બે ત્રણ ઇંચ જેટલા વરસાદમાં પણ અંડરપાસ બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. એવામાં AMCએ ચોમાસા દરમિયાન 28 જેટલા અંડર બ્રિજમાં વરસાદનું પાણી ભરાય છે ત્યારે આ અંડર બ્રિજમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે 18 જેટલા અંડરપાસમાંથી પાણી કાઢવા 1.15 કરોડના ખર્ચે પંપ મુકાશે. પરંતુ આ પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેથી કરીને વાહન ચાલકોએ આ 28 જેટલા અંડર બ્રિજ જ્યારે વરસાદમાં પાણી ભરાય તે સમયે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો.

જેમાં સ્ટેડિયમ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, અખબારનગર અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, મણિનગર(દક્ષિણી) અંડરપાસ, પરિમલ અંડરપાસ, કુબેરનગર અંડરપાસ, મીઠાખળી પેડિસ્ટ્રેન(ગાંધીગ્રામ) અંડરપાસ, મીઠાખળી અંડરપાસ, બોટાદ ખોડિયાર ગેજલાઇનના અંડરપાસ, સિલ્વર સ્ટાર ચાર રસ્તા લેવલ ક્રોસિંગ, ચેનપુર પાસે આઇઓસી અંડરપાસ, ચેનપુર લેક ક્રોસિંગ,ચાંદલોડિયા લેક ક્રોસિંગ, અગિયારસ માતા મંદિર વાડજ લેવલ ક્રોસિંગ, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ક્રોસિંગ, ચામુંડા ક્રોસિંગ, મકરબા ક્રોસિંગ, ઉમા ભવાની એલસી 241, આઇઓસી રોડ, ચાંદખેડા,જીએસટી અંડરપાસ, જલારામ અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, કાળીગામ ગરનાળા, ભાડજ અંડરપાસ, વૈષ્ણોદેવી અંડરપાસ, મુમદપુરા અંડરપાસ, ત્રાગડ અંડરપાસનો સમાવેશ થાય છે.

શહેરમાં બે ત્રણ ઇંચ જેટલા વરસાદમાં પણ અંડરપાસ બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે આ વખતે તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા તમામ 18 અંડરપાસ પર ખાસ પંપ મૂકવામાં આવશે. જેથી જો પાણી ભરાય તો આ પંપની મદદથી ડ્રેનેજ લાઇનામાં પાણી નાખવામાં આવશે. જેના માટે કોર્પોરેશન દ્વારા એક કરોડ 14 લાખ 9 હજાર નો ખર્ચો પણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...