Thursday, April 30, 2026

નારણપુરામાં વાઈટ ટોપિંગ રોડ બન્યો માથાનો દુખાવો? AMC ના અણઘડ વહીવટે લોકોની મુશ્કેલી વધારી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતનું અમદાવાદ એવું શહેર છે, જે રોકેટ ગતિએ વિકસી રહ્યુ છે અને સાથે સાથે વિકાસ પણ કરી રહ્યુ છે. અમદાવાદમાં દિવસેને દિવસે અદ્યતન સુવિધાઓનો વધારો થઈ રહ્યો છે. AMC પણ શહેરના વિકાસને ગતિ આપતા નવી નવી જાહેરાતો કરતું રહે છે. અમદાવાદમાં તમામ વૉર્ડમાં એક એક વાઈટ ટોપિંગ રોડ બનાવવા માટેનું આયોજન અમદાવાદ AMC કરી રહી છે. પરંતુ AMC ના અડધણ વહીવટનો નમુનો નારણપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.વાઈટ ટોપિંગ રોડ પ્રજાની સુખાકારી માટેનો નહી પરંતુ દુ:ખાકારી માટે બની રહેલ હોય તેમ જણાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં દરેક વૉર્ડમાં એક વાઈટ ટોપિંગ રોડ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના નારણપુરામાં ગત મહિને વાઇટ ટોપિંગ રોડ બનાવવાનું કામ લાડલી ચાર રસ્તા થી લઈને પ્રગતિનગરનું શરૂ કરવામાં આવ્યું હતું. સત્તાવાર ચોમાસુ બેસે તેના થોડાક જ દિવસ પહેલા આ પ્રકારનું કામ શરૂ કરાયું, જે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે.

સ્થાનિકોનું માનવું છે કે, આ વ્હાઈટ ટોપિંગ રોડ દેખાવમાં તો સારો લાગે છે, પરંતું તેની સૌથી મોટી સમસ્યા એ છે કે, વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટી-દુકાનોના લેવલથી 3-4થી ઈંચ ઊંચા થઈ ગયા છે. બીજી બાજુ એક તરફનો રોડ બંધ થવાના કારણે ટ્રાફિકની સમસ્યા તો વધી જ છે, પરંતુ આસપાસના રહેતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

નારણપુરામાં વધુ એક વખત સૌથી મોટી બેદરકારી આ રોડના કામ દરમિયાન જોવા મળી છે. એક લેનનો રોડ બન્યા બાદ ખ્યાલ આવ્યો કે ડ્રેનેજનું કામ કરવાનું બાકી છે. માટે રોડ બન્યા બાદ હવે ડ્રેનેજો ખોદવાની શરૂ કરવામાં આવી છે. ચોમાસું તૈયારીમાં છે ત્યારે આ ખોદકામ કારણે લોકોને હાલાકી પડી રહી છે. સાથે જ આસપાસમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં કેવી રીતે જવું તે પણ મોટો સવાલ બન્યો છે.

ચોમાસાની શરૂઆત પહેલા જ આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે સ્પષ્ટ કરે છે કે, AMC ની બેદરકારીનો નમુનો આ વાઇટ ટોપિંગ રોડ છે. જેમાં કોઈપણ પ્રકારના નીતિ નિયમોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને આ રોડ ના કારણે પણ લોકોને હેરાનગતિ થઇ રહી છે. અને આ પરિસ્થિતિ એક જગ્યાએ નહીં પરંતુ તમામ જગ્યાઓ પર છે, જ્યાં આ પ્રકારે વાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવ્યા છે.

વાઈટ ટોપીંગ રોડ બનાવવાની શરૂઆત બેંગલોરમાં કરવામાં આવી હતી પરંતુ બેંગ્લોરમાં જ સમગ્ર પ્રોજેક્ટ ફેલ જતા બંધ કરાયો છે પરંતુ બેંગલોર ના નામ પર જ અમદાવાદમાં એક બાદ એક વાઈટ ટોપીંગ રોડ ના નામ પર કરોડો રૂપિયાનો વ્યય થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...