Friday, March 13, 2026

અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણની વધુ એક વાર બેદરકારી, ચટણીમાંથી નીકળી જીવાત, AMC ફુડ વિભાગમાં ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: શહેરમાં આવેલી અનેક ખાણીપીણીની હોટેલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ હવે દર બે દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવે છે. ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત મળી આવતા ફરી એકવાર બેદરકારીનો આક્ષેપ દાસ ખમણના આઉટલેટ પર લાગ્યો છે. આજે ગ્રાહકે દુકાનદારનો સંપર્ક કરતા દુકાનદારે હવે આવું નહીં થાય કહીને માફી માંગી હતી. આ બાબતે ગ્રાહકે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં દાસ ખમણ નામની બ્રાન્ડની વિવિધ જગ્યાએ આવેલી છે. શહેરના પાલડી વિસ્તારમાં શિવાલિક કોમ્પ્લેક્સમાં આવેલી દાસ ખમણની દુકાનમાંથી રાજ શાહ નામના વ્યક્તિએ નાસ્તાનો ઓર્ડર કર્યો હતો. ખમણ, સેવખમણી સહિત અનેક વસ્તુઓ સાથે ઓર્ડરમાં ચટણી પણ આપવામાં આવી હતી. જેમાં જીવાત નીકળી હતી. ઘરે આ ચટણી ખાધા બાદ થોડી બચી ગયેલી ચટણીમાં જોયું તો જીવાત મળી આવી હતી. ગ્રાહક આખી ચટણીની થેલી લઈ આઉટલેટ પર પહોંચ્યો હતો, દુકાનદારે સ્વીકાર્યું હતું કે ભૂલ થઈ ગઈ હશે અને હવે આવું ફરીથી નહીં થાય. જ્યાં દુકાનદારે માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ અનેક વાર આવી બેદરકારી સામે આવી ચૂકી છે. 18 ફેબ્રુઆરી 2024એ મણિનગરમાં દાસ ખમણની ચટણીમાં જીવડું નીકળ્યું હતું. ખાધા બાદ પરિવારે ઉબકા-ઉલ્ટી થયાનો આક્ષેપ કર્યો હતો. તે ઉપરાંત, 6 ઓગસ્ટ 2022માં અમદાવાદના જાણીતા દાસ ખમણ હાઉસને કોર્પોરેશને સીલ માર્યું હતું. જ્યાં બિનઆરોગ્યપ્રદ તેલનો ઉપયોગ થતો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...