Sunday, January 25, 2026

અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણની વધુ એક વાર બેદરકારી, ચટણીમાંથી નીકળી જીવાત, AMC ફુડ વિભાગમાં ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: શહેરમાં આવેલી અનેક ખાણીપીણીની હોટેલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ હવે દર બે દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવે છે. ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત મળી આવતા ફરી એકવાર બેદરકારીનો આક્ષેપ દાસ ખમણના આઉટલેટ પર લાગ્યો છે. આજે ગ્રાહકે દુકાનદારનો સંપર્ક કરતા દુકાનદારે હવે આવું નહીં થાય કહીને માફી માંગી હતી. આ બાબતે ગ્રાહકે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં દાસ ખમણ નામની બ્રાન્ડની વિવિધ જગ્યાએ આવેલી છે. શહેરના પાલડી વિસ્તારમાં શિવાલિક કોમ્પ્લેક્સમાં આવેલી દાસ ખમણની દુકાનમાંથી રાજ શાહ નામના વ્યક્તિએ નાસ્તાનો ઓર્ડર કર્યો હતો. ખમણ, સેવખમણી સહિત અનેક વસ્તુઓ સાથે ઓર્ડરમાં ચટણી પણ આપવામાં આવી હતી. જેમાં જીવાત નીકળી હતી. ઘરે આ ચટણી ખાધા બાદ થોડી બચી ગયેલી ચટણીમાં જોયું તો જીવાત મળી આવી હતી. ગ્રાહક આખી ચટણીની થેલી લઈ આઉટલેટ પર પહોંચ્યો હતો, દુકાનદારે સ્વીકાર્યું હતું કે ભૂલ થઈ ગઈ હશે અને હવે આવું ફરીથી નહીં થાય. જ્યાં દુકાનદારે માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ અનેક વાર આવી બેદરકારી સામે આવી ચૂકી છે. 18 ફેબ્રુઆરી 2024એ મણિનગરમાં દાસ ખમણની ચટણીમાં જીવડું નીકળ્યું હતું. ખાધા બાદ પરિવારે ઉબકા-ઉલ્ટી થયાનો આક્ષેપ કર્યો હતો. તે ઉપરાંત, 6 ઓગસ્ટ 2022માં અમદાવાદના જાણીતા દાસ ખમણ હાઉસને કોર્પોરેશને સીલ માર્યું હતું. જ્યાં બિનઆરોગ્યપ્રદ તેલનો ઉપયોગ થતો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...