Sunday, March 15, 2026

પેકેટ ફૂડ ખાનાર થઇ જજો સાવધાન, બાલાજીની વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હોવાનો વિડીયો વાયરલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફૂડસ્ટોલ કે પછી રેસ્ટોરાંના ભોજનમાંથી જીવાત અને કિડા નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદ બાદ જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હોવાનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જામનગરમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. વેફરના પેકેટમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે.ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ગુજરાતની લોકપ્રિય બ્રાન્ડની વેફરમાંથી દેડકો નીકળતા અનેક સવાલ ઉઠ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

મીડિયા રિપોર્ટ મુજબ જામનગરની પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજીની વેફર ખરીદી હતી અને જ્યારે તેણે વેફરનું પેકેટ ખોલ્યું તો તેમાં વેફરની સાથે મરેલો દેડકો હતો. જેના કારણે આ વ્યક્તિએ ફૂડ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ વ્યક્તિએ ખરીદેલા વેફરના પેકેટમાંથી મરેલો દેડકો નીકળતા તેમણે જે દુકાનમાંથી ખરીદી કરી હતી ત્યાં ફરિયાદ કરી હતી. તેમણે તેને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું કહ્યું હતું પરંતુ ત્યાંથી તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેના કારણે તેમણે બાદમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો. ફૂડ વિભાગને આ અંગે જાણ કર્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું. ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી અને તેમણે વેફરનું પેકેટ લીધું હતું અને જ્યાંથી તે લેવામાં આવ્યું હતું તે એજન્સીની તપાસ પણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે તે વેફરના પેકેટનું સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં મોકલ્યું છે.

છેલ્લાં કેટલાક સમયથી રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. ક્યાંક ભેળસેળવાળો ખોરાક, તો ક્યાંક ફૂડમાં જીવાત નીકળવાના કિસ્સા બની રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ નીકળવાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ માટે જાગૃત નાગરિકો ફરિયાદ કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આવી ઘટનાઓથી આરોગ્ય વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...