Sunday, January 25, 2026

132 ફૂટ રિંગ રોડ પ્રબોધ રાવલ બ્રિજથી અખબારનગર સર્કલ સુધીનો રસ્તો ડેવલપ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ અંતર્ગત 132 ફૂટ રિંગ રોડ પર પ્રબોધ રાવલ બ્રિજથી વ્યાસવાડી થઈ અખબારનગર સર્કલ સુધીનો રસ્તો ડેવલપ કરાશે.હાલમાં મિક્ષ ટ્રાફિક કોરીડોરને રી-ગ્રેડ કરી રીસરફેસ કરવાની કામગીરી ચાલી રહી છે.પ્રિસિન્ટ પ્રોજેકટ પૈકી 30 મીટરનો રોડ એડજોઈનીંગ થતો હોવાથી નવા બનેલા રસ્તા ઉપર ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવામાં આવશે.આ કામગીરી પાછળ અંદાજિત રુપિયા 3.16 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ હેઠળ સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડમાં આવેલા પ્રબોધ રાવલ બ્રિજથી અખબારનગર સર્કલ સુધીના રસ્તાઉપર કોરીડોરને રી-ગ્રેડ કરી રીસરફેસ કરવાની કામગીરી અંતર્ગત નવા બની રહેલા રસ્તા ઉપર ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.ગાંધીઆશ્રમ પ્રિસિન્ટ પ્રોજેકટ જેવી જ ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવા પ્રોજેકટ અંતર્ગત ટેન્ડર પ્રક્રીયા કરવામાં આવી હતી. લોએસ્ટ આવેલા મે.મોર્ડન પાવર સર્વિસિસ ના 3.75 ટકા વધુ ભાવના ટેન્ડર બાદ નેગોશીએશન બાદ GST સહિત રુપિયા 3.16 કરોડના ખર્ચથી કામગીરી કરવા વર્કઓર્ડર આપવામા આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...