Friday, March 13, 2026

અમદાવાદમાં રોંગ સાઈડે આવેલા 160 વાહનચાલક સામે FIR, જામીન માટે પોલીસ સ્ટેશન જવું પડ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોંગ સાઈડે આવતાં વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે 160 લોકો સામે FIR કરવામાં આવી હતી. આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડ્યું હતું. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજુ 9 દિવસ ચાલુ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે 160 લોકો સામે FIR કરવામાં આવી હતી. શનિવારે સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમો ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ગોઠવાઈ ગઈ હતી.ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આવતા રૂટ પરના ત્રણ કટ બંધ કરી દેવામાં આવતાં ગોતા બ્રિજ નીચે સૌથી વધુ વાહનો રોંગ સાઈડમાં આવતા હોય છે. પિકઅવર્સમાં તો ટુ-વ્હીલર અને કાર ઉપરાંત ભારે વાહનો પણ રોંગ સાઈડમાં આવતા હોવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે.આ ઉપરાંત ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાતી હોય છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રોંગ સાઈડે વાહન લઈ આવતા 7,368 લોકોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.1.28 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. જો કે, આ વખતે પહેલીવાર રોંગ સાઈડમાં આવનારા લોકો સામે FIR કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.રોંગ સાઈડે આવતા વાહનચાલકો સામે IPCની કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ રોડ અકસ્માત અટકાવવા સુરક્ષાના ભાગરૂપે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહન અકસ્માતોમાં સંખ્યાબંધ કિસ્સામાં રોંગ સાઈડે આવતા વાહનો જવાબદાર હોવાથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તેમણે લોકોને સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવા અને પોલીસ કાર્યવાહીથી બચવા અપીલ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...