Thursday, January 22, 2026

અમદાવાદમાં રોંગ સાઈડે આવેલા 160 વાહનચાલક સામે FIR, જામીન માટે પોલીસ સ્ટેશન જવું પડ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રોંગ સાઈડે આવતાં વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે 160 લોકો સામે FIR કરવામાં આવી હતી. આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડ્યું હતું. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજુ 9 દિવસ ચાલુ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે 160 લોકો સામે FIR કરવામાં આવી હતી. શનિવારે સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમો ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ગોઠવાઈ ગઈ હતી.ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આવતા રૂટ પરના ત્રણ કટ બંધ કરી દેવામાં આવતાં ગોતા બ્રિજ નીચે સૌથી વધુ વાહનો રોંગ સાઈડમાં આવતા હોય છે. પિકઅવર્સમાં તો ટુ-વ્હીલર અને કાર ઉપરાંત ભારે વાહનો પણ રોંગ સાઈડમાં આવતા હોવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે.આ ઉપરાંત ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાતી હોય છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રોંગ સાઈડે વાહન લઈ આવતા 7,368 લોકોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.1.28 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. જો કે, આ વખતે પહેલીવાર રોંગ સાઈડમાં આવનારા લોકો સામે FIR કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.રોંગ સાઈડે આવતા વાહનચાલકો સામે IPCની કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ રોડ અકસ્માત અટકાવવા સુરક્ષાના ભાગરૂપે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહન અકસ્માતોમાં સંખ્યાબંધ કિસ્સામાં રોંગ સાઈડે આવતા વાહનો જવાબદાર હોવાથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તેમણે લોકોને સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવા અને પોલીસ કાર્યવાહીથી બચવા અપીલ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...