Friday, March 13, 2026

આવતીકાલે વર્ષની પ્રથમ અંગારકી સંકષ્ટ ચતુર્થી, આ ચોથનું વ્રત કરનારાઓને 21 ચોથના વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત થશે

spot_img
Share

અમદાવાદ : આવતીકાલ તા. 25 જૂનને મંગળવારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ અંગારકી ચતુર્થી(અંગારક યોગ) આવે છે. અંગારકી સંકષ્ટ ચતુર્થીનું ખૂબ જ મહાત્મ્ય છે છે અને તે 21 ચોથ કર્યાનું ફળ આપે છે. ચોથની તિથીના દેવતા ગણેશજી હોવાથી આ દિવસને વરદ કે દમનક ચોથ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આવા દિવસે વિઘ્નહર્તા (દુદાળા દેવ)ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો જીવનમાં સંકટ રૂપી સમસ્યા હલ થશે.

અંગારકી સંકષ્ટ ચતુર્થી એટલે વિઘ્નહર્તા ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનું પર્વ. મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી ગણેશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. આ વ્રત ધારણ કરનારે રાત્રે ચંદ્ર દર્શન રાત્રિએ 10.44 કલાકે કરી ત્યારબાદ લાડુનો ભોગ ધરાવી પ્રસાદ લઇ શકે છે. ગણેશજીને જાસૂદના ફૂલ દુર્વા, ગોળ, મોદક જનોઈ અર્પણ કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. સાથોસાથ ઋતુ ફળ અર્પણ કરાય છે. ત્યારબાદ ધૂપ-દીપ અગરબત્તી કરી વંદન કરવામાં આવે છે.

સિધ્ધિ વિનાયક મંદિર (અખબારનગર સર્કલ) ના શાસ્ત્રી ધર્મેન્દ્ર વ્યાસના અનુસાર આ ચોથનું વ્રત કરવાથી 21 ચોથ કરવા જેટલું ફલ પ્રાપ્તિ થાય છે. જે જાતકની કુંડળીમાં મંગળદોષ હોય તેમણે અવશ્ય પૂજા વ્રત કરવું જોઈએ. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે આ વ્રત વધુ ફળદાયી નીવડશે. વિદ્યાર્થી ગણે ગણેશજીનો સ્તોત્ર, ગણપતિ અથર્વશીર્ષ પાઠ, નામાવલી કરવાથી વિદ્યા પ્રાપ્તિ માટે વધુ શુભ મનાય છે. ગણેશ યાગ કરી તલના લાડુનો પ્રસાદ સાથે દૂર્વાથી પૂજા કરવાથી સર્વ પ્રકારે મનોકામના પરિપૂર્ણ થાય છે.

તેઓના જણાવ્યા અનુસાર નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાય છે. જ્યારે નોકરિયાત કે ધંધાદારી વર્ગ માટે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી બે હાથ જોડીને સહહદય પૂર્વક પ્રાર્થના કરવાથી લાંબા સમયના અટકેલા કાર્યો પૂર્ણ થશે, કારણ કે ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દાતા માંગલિક કાર્યોમાં અગ્રેસર હોવાથી આ ચતુર્થી નો ઉપવાસ કરવાનું વધુ ફળદાયી નિવડશે જેનાથી પરિવારમાં અખંડ લક્ષ્મી બની રહેશે.

અંગારકી સંકષ્ટ ચતુર્થીએ સંકટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ જ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રી ગણપતિ અથર્વશીર્ષ, ગણેશ ચાલિસાનું પણ પઠન કરશે. આ ઉપરાંત ‘ઓમ્ ગં ગણપત્યૈ નમઃ’ મંત્રના યથાશક્તિ જાપ પણ કરવા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...