Saturday, January 17, 2026

આવતીકાલે વર્ષની પ્રથમ અંગારકી સંકષ્ટ ચતુર્થી, આ ચોથનું વ્રત કરનારાઓને 21 ચોથના વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત થશે

spot_img
Share

અમદાવાદ : આવતીકાલ તા. 25 જૂનને મંગળવારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ અંગારકી ચતુર્થી(અંગારક યોગ) આવે છે. અંગારકી સંકષ્ટ ચતુર્થીનું ખૂબ જ મહાત્મ્ય છે છે અને તે 21 ચોથ કર્યાનું ફળ આપે છે. ચોથની તિથીના દેવતા ગણેશજી હોવાથી આ દિવસને વરદ કે દમનક ચોથ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આવા દિવસે વિઘ્નહર્તા (દુદાળા દેવ)ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો જીવનમાં સંકટ રૂપી સમસ્યા હલ થશે.

અંગારકી સંકષ્ટ ચતુર્થી એટલે વિઘ્નહર્તા ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનું પર્વ. મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી ગણેશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. આ વ્રત ધારણ કરનારે રાત્રે ચંદ્ર દર્શન રાત્રિએ 10.44 કલાકે કરી ત્યારબાદ લાડુનો ભોગ ધરાવી પ્રસાદ લઇ શકે છે. ગણેશજીને જાસૂદના ફૂલ દુર્વા, ગોળ, મોદક જનોઈ અર્પણ કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. સાથોસાથ ઋતુ ફળ અર્પણ કરાય છે. ત્યારબાદ ધૂપ-દીપ અગરબત્તી કરી વંદન કરવામાં આવે છે.

સિધ્ધિ વિનાયક મંદિર (અખબારનગર સર્કલ) ના શાસ્ત્રી ધર્મેન્દ્ર વ્યાસના અનુસાર આ ચોથનું વ્રત કરવાથી 21 ચોથ કરવા જેટલું ફલ પ્રાપ્તિ થાય છે. જે જાતકની કુંડળીમાં મંગળદોષ હોય તેમણે અવશ્ય પૂજા વ્રત કરવું જોઈએ. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે આ વ્રત વધુ ફળદાયી નીવડશે. વિદ્યાર્થી ગણે ગણેશજીનો સ્તોત્ર, ગણપતિ અથર્વશીર્ષ પાઠ, નામાવલી કરવાથી વિદ્યા પ્રાપ્તિ માટે વધુ શુભ મનાય છે. ગણેશ યાગ કરી તલના લાડુનો પ્રસાદ સાથે દૂર્વાથી પૂજા કરવાથી સર્વ પ્રકારે મનોકામના પરિપૂર્ણ થાય છે.

તેઓના જણાવ્યા અનુસાર નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાય છે. જ્યારે નોકરિયાત કે ધંધાદારી વર્ગ માટે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી બે હાથ જોડીને સહહદય પૂર્વક પ્રાર્થના કરવાથી લાંબા સમયના અટકેલા કાર્યો પૂર્ણ થશે, કારણ કે ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દાતા માંગલિક કાર્યોમાં અગ્રેસર હોવાથી આ ચતુર્થી નો ઉપવાસ કરવાનું વધુ ફળદાયી નિવડશે જેનાથી પરિવારમાં અખંડ લક્ષ્મી બની રહેશે.

અંગારકી સંકષ્ટ ચતુર્થીએ સંકટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ જ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રી ગણપતિ અથર્વશીર્ષ, ગણેશ ચાલિસાનું પણ પઠન કરશે. આ ઉપરાંત ‘ઓમ્ ગં ગણપત્યૈ નમઃ’ મંત્રના યથાશક્તિ જાપ પણ કરવા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...