અમદાવાદ : સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ રાખવા માટે બેંક લોકર સુરક્ષિત સ્થાન છે, ત્યારે હવે બેંક લોકર પણ સલામત નથી. બેંકના લોકરમાંથી પણ ચોરીની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઇન્ડીયન બેન્કના લોકરમાંથી ભાવનાબેન નામના વૃધ્ધાના 34.18 લાખના દાગીના સહીત રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દાગીનાની જરૂર હોવાથી બેન્ક લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના લેવા ગયા હતા. ત્યારે બેન્ક કર્મચારી પણ સાથે હતો અને લોકર ખોલવા ગયા ત્યારે તે ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. જેથી વૃદ્ધાએ આ અંગે બેંકને તાત્કાલિક જાણ કરી. પરંતું બેંકે આ બાબતની કોઈ તસ્દી લીધી ન હતી.
બેન્ક દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે વૃદ્ધાએ નારણપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ઈન્ડિયન બેન્કના લોકરમાં વૃદ્ધ મહિલાના લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હતી. વૃદ્ધા દીકરાના લગ્ન માટે દાગીના લેવા આવ્યા ત્યારે લોકર ખુલ્લી હાલતમાં હતું. લોકરમાંથી કુલ 34.18 લાખ દાગીના અને રોકડ ગાયબ હતી.
વૃદ્ધાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનાબેનનું ઇન્ડિયન બેંકની અંકુર બ્રાન્ચમાં બેન્ક લોકર છે. બેન્ક લોકરમાં તેમના દાગીના અને રોકડ રકમ રાખે છે. જુલાઈ મહિનામાં તેમના દીકરાના લગ્ન હોવાથી 15 મેના રોજ બેન્કમાં પડેલા દાગીના અને લોકર લેવા માટે ગયા હતા. ત્યારે બેન્ક લોકરના ઈન્ચાર્જ જયેશભાઈ પાસે લોકરની બીજી ચાવી રહેતી હોય છે.
હાલ તો નારણપુરા પોલીસે બેન્કના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેન્ક લોકર અંગે FSLની મદદ લેવામાં આવી રહી છે. લોક ખોલવામાં આવ્યું કે તેને તોડી નાખવામાં આવ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં ચોર કોણ નીકળે છે એ જોવું રહ્યું.