Wednesday, March 11, 2026

નારણપુરામાં ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અધ્ધર કર્યાં!

spot_img
Share

અમદાવાદ : સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ રાખવા માટે બેંક લોકર સુરક્ષિત સ્થાન છે, ત્યારે હવે બેંક લોકર પણ સલામત નથી. બેંકના લોકરમાંથી પણ ચોરીની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઇન્ડીયન બેન્કના લોકરમાંથી ભાવનાબેન નામના વૃધ્ધાના 34.18 લાખના દાગીના સહીત રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દાગીનાની જરૂર હોવાથી બેન્ક લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના લેવા ગયા હતા. ત્યારે બેન્ક કર્મચારી પણ સાથે હતો અને લોકર ખોલવા ગયા ત્યારે તે ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. જેથી વૃદ્ધાએ આ અંગે બેંકને તાત્કાલિક જાણ કરી. પરંતું બેંકે આ બાબતની કોઈ તસ્દી લીધી ન હતી.

બેન્ક દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે વૃદ્ધાએ નારણપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ઈન્ડિયન બેન્કના લોકરમાં વૃદ્ધ મહિલાના લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હતી. વૃદ્ધા દીકરાના લગ્ન માટે દાગીના લેવા આવ્યા ત્યારે લોકર ખુલ્લી હાલતમાં હતું. લોકરમાંથી કુલ 34.18 લાખ દાગીના અને રોકડ ગાયબ હતી.

વૃદ્ધાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનાબેનનું ઇન્ડિયન બેંકની અંકુર બ્રાન્ચમાં બેન્ક લોકર છે. બેન્ક લોકરમાં તેમના દાગીના અને રોકડ રકમ રાખે છે. જુલાઈ મહિનામાં તેમના દીકરાના લગ્ન હોવાથી 15 મેના રોજ બેન્કમાં પડેલા દાગીના અને લોકર લેવા માટે ગયા હતા. ત્યારે બેન્ક લોકરના ઈન્ચાર્જ જયેશભાઈ પાસે લોકરની બીજી ચાવી રહેતી હોય છે.

હાલ તો નારણપુરા પોલીસે બેન્કના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેન્ક લોકર અંગે FSLની મદદ લેવામાં આવી રહી છે. લોક ખોલવામાં આવ્યું કે તેને તોડી નાખવામાં આવ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં ચોર કોણ નીકળે છે એ જોવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...