Thursday, November 13, 2025

અમદાવાદમાં BRTS બસના ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં આગ લાગતા ત્રણ બસ બળીને ખાક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મોડી રાત્રે ધોરમાર વરસાદ થયો છે. આ દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આ દરમિયાન એક આગની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની ઈલેક્ટ્રીક BRTS બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગતરાત્રે ત્રણ ઈલેક્ટ્રીક બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો પ્રમાણે ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિક બસમાં આગ લાગી હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં આ ઘટના બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં મોડી રાત્રે વરસાદના પગલે ફાયર બ્રિગેડને આગ લાગવાના નાના-મોટા આઠથી વધુ કોલ મળ્યા હતા. જેમાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં જડેશ્વર વન પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્ટ્રીક બસનું ચાર્જિંગ સ્ટેશન આવેલું છે. જે ચાર્જિંગ સ્ટેશનમાં મોડી રાત્રે એક ઇલેક્ટ્રીક બસમાં કોઈ કારણોસર આગ લાગી હતી. બસમાં લાગેલી આગ ધીમે-ધીમે આગળ વધી અને આસપાસમાં ઉભેલી બે જેટલી બસને પણ ઝપેટમાં લઈ લેતા સળગી ઊઠી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, બસ ડેપોમાં પાર્ક હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...