Wednesday, January 21, 2026

અમદાવાદમાં BRTS બસના ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં આગ લાગતા ત્રણ બસ બળીને ખાક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મોડી રાત્રે ધોરમાર વરસાદ થયો છે. આ દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આ દરમિયાન એક આગની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની ઈલેક્ટ્રીક BRTS બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગતરાત્રે ત્રણ ઈલેક્ટ્રીક બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો પ્રમાણે ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિક બસમાં આગ લાગી હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં આ ઘટના બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં મોડી રાત્રે વરસાદના પગલે ફાયર બ્રિગેડને આગ લાગવાના નાના-મોટા આઠથી વધુ કોલ મળ્યા હતા. જેમાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં જડેશ્વર વન પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્ટ્રીક બસનું ચાર્જિંગ સ્ટેશન આવેલું છે. જે ચાર્જિંગ સ્ટેશનમાં મોડી રાત્રે એક ઇલેક્ટ્રીક બસમાં કોઈ કારણોસર આગ લાગી હતી. બસમાં લાગેલી આગ ધીમે-ધીમે આગળ વધી અને આસપાસમાં ઉભેલી બે જેટલી બસને પણ ઝપેટમાં લઈ લેતા સળગી ઊઠી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, બસ ડેપોમાં પાર્ક હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...