Thursday, September 18, 2025

અમદાવાદમાં BRTS બસના ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં આગ લાગતા ત્રણ બસ બળીને ખાક

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં મોડી રાત્રે ધોરમાર વરસાદ થયો છે. આ દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આ દરમિયાન એક આગની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની ઈલેક્ટ્રીક BRTS બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગતરાત્રે ત્રણ ઈલેક્ટ્રીક બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો પ્રમાણે ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિક બસમાં આગ લાગી હોવાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં આ ઘટના બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં મોડી રાત્રે વરસાદના પગલે ફાયર બ્રિગેડને આગ લાગવાના નાના-મોટા આઠથી વધુ કોલ મળ્યા હતા. જેમાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં જડેશ્વર વન પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્ટ્રીક બસનું ચાર્જિંગ સ્ટેશન આવેલું છે. જે ચાર્જિંગ સ્ટેશનમાં મોડી રાત્રે એક ઇલેક્ટ્રીક બસમાં કોઈ કારણોસર આગ લાગી હતી. બસમાં લાગેલી આગ ધીમે-ધીમે આગળ વધી અને આસપાસમાં ઉભેલી બે જેટલી બસને પણ ઝપેટમાં લઈ લેતા સળગી ઊઠી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.નોંધનીય છે કે, બસ ડેપોમાં પાર્ક હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...