Tuesday, September 16, 2025

AMCનો વિચિત્ર નિર્ણય, રિવરફ્રન્ટ પર સરકારી ઓફિસ બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ બનશે, નિર્ણય કેટલો યોગ્ય ?

Share

Share

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ હાઉસના ટોપ ફ્લોર પર હવે રેસ્ટોરન્ટ જોવા મળશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલું રિવરફ્રન્ટ હાઉસ પાંચ માળનું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને બુલેટ ટ્રેનની ઓફિસ આવેલી છે. પાંચમો માળ બનાવવામાં આવ્યો છે. ટોપ ફ્લોર પરનો ભાગ ખુલ્લો છે અને ત્યાં બાંધકામ પણ કરવામાં આવેલું નથી. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાંચમા માળને માત્ર રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસિક 22.38 લાખ (મેન્ટેનન્સ અને વધારાના ટેક્સ સિવાય)નું લઘુતમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક અંદાજિત 3 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હવે કરોડો રૂપિયાની આવક ઊભી કરવા માટે જ્યાં સરકારી ઓફિસો આવેલી છે તેવા જ સ્થળ પર ટોપ ફ્લોર પર માત્ર રેસ્ટોરન્ટ અથવા ચેઈન ઓફ રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગે નિર્ણય લેવામાં આવતા અનેક સવાલ ઊભા થયા છે. ભાડેથી રેસ્ટોરન્ટ ચલાવવાના આપવામાં આવેલ ટેન્ડરની શરતમાં એક શરત એવી મૂકવામાં આવી છે કે, રિવરફ્રન્ટ હાઉસમાં સરકારી અને અર્ધ સરકારી ઓફિસો આવેલી છે. પરિણામે ઓફિસ છે તો ત્યાં ખલેલ ન પહોંચે તેવી પણ શરત રાખવામાં આવી છે.

રિવરફ્રન્ટ હાઉસમાં બુલેટ ટ્રેન, આરબીઆઈ કોર્પોરેશન સહિતની ઓફિસો આવેલી છે ત્યારે રેસ્ટોરન્ટમાં આવતા લોકોને કારણે લોકોની અવર-જવર વધતા સરકારી ઓફિસોના કામકાજ પર અસર થઈ શકે છે. સરકારી કચેરીઓ હોય ત્યાં રેસ્ટોરન્ટ બનાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...