Sunday, November 16, 2025

AMCનો વિચિત્ર નિર્ણય, રિવરફ્રન્ટ પર સરકારી ઓફિસ બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ બનશે, નિર્ણય કેટલો યોગ્ય ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ હાઉસના ટોપ ફ્લોર પર હવે રેસ્ટોરન્ટ જોવા મળશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલું રિવરફ્રન્ટ હાઉસ પાંચ માળનું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને બુલેટ ટ્રેનની ઓફિસ આવેલી છે. પાંચમો માળ બનાવવામાં આવ્યો છે. ટોપ ફ્લોર પરનો ભાગ ખુલ્લો છે અને ત્યાં બાંધકામ પણ કરવામાં આવેલું નથી. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાંચમા માળને માત્ર રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસિક 22.38 લાખ (મેન્ટેનન્સ અને વધારાના ટેક્સ સિવાય)નું લઘુતમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક અંદાજિત 3 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હવે કરોડો રૂપિયાની આવક ઊભી કરવા માટે જ્યાં સરકારી ઓફિસો આવેલી છે તેવા જ સ્થળ પર ટોપ ફ્લોર પર માત્ર રેસ્ટોરન્ટ અથવા ચેઈન ઓફ રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગે નિર્ણય લેવામાં આવતા અનેક સવાલ ઊભા થયા છે. ભાડેથી રેસ્ટોરન્ટ ચલાવવાના આપવામાં આવેલ ટેન્ડરની શરતમાં એક શરત એવી મૂકવામાં આવી છે કે, રિવરફ્રન્ટ હાઉસમાં સરકારી અને અર્ધ સરકારી ઓફિસો આવેલી છે. પરિણામે ઓફિસ છે તો ત્યાં ખલેલ ન પહોંચે તેવી પણ શરત રાખવામાં આવી છે.

રિવરફ્રન્ટ હાઉસમાં બુલેટ ટ્રેન, આરબીઆઈ કોર્પોરેશન સહિતની ઓફિસો આવેલી છે ત્યારે રેસ્ટોરન્ટમાં આવતા લોકોને કારણે લોકોની અવર-જવર વધતા સરકારી ઓફિસોના કામકાજ પર અસર થઈ શકે છે. સરકારી કચેરીઓ હોય ત્યાં રેસ્ટોરન્ટ બનાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...