Wednesday, January 14, 2026

AMCનો વિચિત્ર નિર્ણય, રિવરફ્રન્ટ પર સરકારી ઓફિસ બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ બનશે, નિર્ણય કેટલો યોગ્ય ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ હાઉસના ટોપ ફ્લોર પર હવે રેસ્ટોરન્ટ જોવા મળશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલું રિવરફ્રન્ટ હાઉસ પાંચ માળનું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને બુલેટ ટ્રેનની ઓફિસ આવેલી છે. પાંચમો માળ બનાવવામાં આવ્યો છે. ટોપ ફ્લોર પરનો ભાગ ખુલ્લો છે અને ત્યાં બાંધકામ પણ કરવામાં આવેલું નથી. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાંચમા માળને માત્ર રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસિક 22.38 લાખ (મેન્ટેનન્સ અને વધારાના ટેક્સ સિવાય)નું લઘુતમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક અંદાજિત 3 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હવે કરોડો રૂપિયાની આવક ઊભી કરવા માટે જ્યાં સરકારી ઓફિસો આવેલી છે તેવા જ સ્થળ પર ટોપ ફ્લોર પર માત્ર રેસ્ટોરન્ટ અથવા ચેઈન ઓફ રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગે નિર્ણય લેવામાં આવતા અનેક સવાલ ઊભા થયા છે. ભાડેથી રેસ્ટોરન્ટ ચલાવવાના આપવામાં આવેલ ટેન્ડરની શરતમાં એક શરત એવી મૂકવામાં આવી છે કે, રિવરફ્રન્ટ હાઉસમાં સરકારી અને અર્ધ સરકારી ઓફિસો આવેલી છે. પરિણામે ઓફિસ છે તો ત્યાં ખલેલ ન પહોંચે તેવી પણ શરત રાખવામાં આવી છે.

રિવરફ્રન્ટ હાઉસમાં બુલેટ ટ્રેન, આરબીઆઈ કોર્પોરેશન સહિતની ઓફિસો આવેલી છે ત્યારે રેસ્ટોરન્ટમાં આવતા લોકોને કારણે લોકોની અવર-જવર વધતા સરકારી ઓફિસોના કામકાજ પર અસર થઈ શકે છે. સરકારી કચેરીઓ હોય ત્યાં રેસ્ટોરન્ટ બનાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...