Friday, May 1, 2026

અમદાવાદમાં 64 થી વધુ શાળાઓ થઇ સીલ, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો

spot_img
Share

અમદાવાદ: રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓની સીલ કરવાની કામગીરી હજુ પણ યથાવત છે. AMCની સીલીંગ કાર્યવાહીના ઘેરા પ્રતાપ પડ્યા છે. છેલ્લા બે દિવસમાં 64થી વધુ શાળાઓ સીલ કરવામા આવતા શાળા સંચાલક મંડળ રોષે ભરાયું છે. શાળાઓ દર 3 વર્ષે સ્ટ્રકચર એન્જીનિયરનુ સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરે તો તેવી શાળાઓને મંજૂરી આપવી રજૂઆત સાથે શાળા સંચાલક મંડળ મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં અંદાજીત 64 જેટલી શાળાઓ અને પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે ત્યારે શાળા સંચાલકોમાં રોષ ફાટી નિકળ્યો છે. સંચાલકોએ આ સમગ્ર મામલે તાત્કાલિક બેઠક બોલાવી શું કરી શકાય તેની ચર્ચા કરી હતી.આ બેઠકમાં કોર્પોરેશનના વલણ અને કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતું કે, શાળાને જ્યારે પણ શિક્ષણ વિભાગ દ્વારા પરમિશન આપવામા આવે છે ત્યારે બીયુ પરમિશન, ફાયર એનઓસી અને 30 વર્ષના ભાડા કરાર સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામા આવે છે અને ત્યારબાદ પરમિશન આપવામા આવે છે, ત્યારે કોર્પોરેશન વિભાગે શાળાઓ મામલે કંઇક વિચાર કરવો જોઈએ. ભૂકંપ બાદ 2001 બાદ બીયુ પરમિશન અમલમાં આવી છે એટલે જે શાળાઓ 2001 બાદ બની છે તેમની પાસે બીયુ પરમિશન હોવું જોઈએ. જોકે જે શાળાઓ 2001 પહેલા બની છે તેમની પાસે બીયુ પરમિશન ન હોય તે સ્વભાવિક છે.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફાયર અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યુ છે અને શાળાઓ સામે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...