Sunday, January 18, 2026

અમદાવાદમાં પંજાબી શાકમાંથી ‘વંદો’, અથાણાંથી ‘ગરોળી’ અને ઠંડાપીણાંમાંથી ‘કાનખજૂરો’ નીકળ્યા, ફૂડ લવર્સમાં રોષ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદની નામાંકિત અને હાઈ ફાઈ હોટલ્સની ફૂડ આઈટમમાંથી જીવાત નીકળવાના કિસ્સા સતત વધી રહ્યા છે. પીઝા, પાસ્તા, કોલ્ડડ્રિંકસમાંથી જીવાતો નીકળવાના સમાચારો અગાઉ સામે આવ્યા છે.આપણે વિચાર્યું પણ ના હોય તેવી અજીબોગરીબ વસ્તુઓ નીકળી રહી છે.છેલ્લાં કેટલાય સમયથી દેડકો, વંદો જેવા વસ્તુઓ નીકળ્યા બાદ હવે અથાણામાંથી ગરોળી અને ઠંડાપીણાંમાંથી કાનખજુરો નીકળ્યાની ઘટનાઓ અમદાવાદમાંથી સામે આવી છે.જેને કારણે શહેરના ફૂડ લવર્સમાં રોષ ફેલાઈ રહ્યો છે.

અમદાવાદમાં નરોડાની હોટલમાં જમવામાં આવેલા લોકોને કડવો અનુભવ થયો છે. નરોડામાં આવેલ મયુર હોટલમાં જમવા ગયા હતા. જયારે તેઓએ જમવાનું મંગાવ્યું તો તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો જે બાદ ગ્રાહકે તેનો વીડિયો બનાવ્યો અને તે હાલ વાયરલ થઇ રહ્યો છે.આ હોટલના જમવાની થાળીમાં વંદો નીકળતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના આનંદનગરમાં રહેતા જોધપુરના રાવલ ફેમેલીને ખુબ ખરાબ અનુભવ થયો છે. ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી છે.ગત 28 મેં ના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહઉદ્યોગ માથી અથાણું ખરીદ્યુ હતું.અથાણું દરરોજ થોડું થોડું વપરાશમાં લેવાતું હતું ત્યારે ગઈકાલે અથાણું ખતમ થવા આવતા બરણીની આખરમાં આખી નાનકડી ગરોળી નીકળી હતી.જણાવી દઈએ કે, અથાણાંના દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર થઈ છે.

તો બીજી બાજુ સરખેજના પાન પાર્લરમાંથી લીધેલી ઠંડા પીણાની બોટલમાંથી કાનખજુરો નીકળ્યો હોવાનો અહેવાલ સામે આવ્યા છે. ગ્રાહક દ્વારા વિડીયો બનાવીને વાયરલ થતા હકીકત સામે આવી છે.ગ્રાહકે સરખેજમાં આવેલ ગંજ પાન પાર્લરમાંથી બોટલ લીધી હતી. આ ઠંડુ પીણું પીધા પછી તબિયત લથડી હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે. મહત્વનું છે કે, હાલ તો AMCએ વિડીયોની આધારે પાન પાર્લર સીલ કર્યુ છે.

આ અગાઉ શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરન્ટમાંથી સંભારના જગમાંથી તેમણે વાટકીમાં જ્યારે સંભાર કાઢ્યો ત્યારે એમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું, જેના કારણે તાત્કાલિક તેમણે રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવી અને બતાવ્યું હતું. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાથી AMCના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીએ વિવિધ વિસ્તારમાં ચાલતા રાત્રિ ખાણીપીણી બજારમાંથી ખાદ્યપદાર્થના સેમ્પલ લેવાની અધિકારીઓને સૂચના આપી છે. અત્યારે આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરે છે પણ તેને વધુ અસરકારક બનાવવા કહ્યું છે. જેથી લોકોને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...