Sunday, March 1, 2026

અમદાવાદમાં પંજાબી શાકમાંથી ‘વંદો’, અથાણાંથી ‘ગરોળી’ અને ઠંડાપીણાંમાંથી ‘કાનખજૂરો’ નીકળ્યા, ફૂડ લવર્સમાં રોષ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદની નામાંકિત અને હાઈ ફાઈ હોટલ્સની ફૂડ આઈટમમાંથી જીવાત નીકળવાના કિસ્સા સતત વધી રહ્યા છે. પીઝા, પાસ્તા, કોલ્ડડ્રિંકસમાંથી જીવાતો નીકળવાના સમાચારો અગાઉ સામે આવ્યા છે.આપણે વિચાર્યું પણ ના હોય તેવી અજીબોગરીબ વસ્તુઓ નીકળી રહી છે.છેલ્લાં કેટલાય સમયથી દેડકો, વંદો જેવા વસ્તુઓ નીકળ્યા બાદ હવે અથાણામાંથી ગરોળી અને ઠંડાપીણાંમાંથી કાનખજુરો નીકળ્યાની ઘટનાઓ અમદાવાદમાંથી સામે આવી છે.જેને કારણે શહેરના ફૂડ લવર્સમાં રોષ ફેલાઈ રહ્યો છે.

અમદાવાદમાં નરોડાની હોટલમાં જમવામાં આવેલા લોકોને કડવો અનુભવ થયો છે. નરોડામાં આવેલ મયુર હોટલમાં જમવા ગયા હતા. જયારે તેઓએ જમવાનું મંગાવ્યું તો તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો જે બાદ ગ્રાહકે તેનો વીડિયો બનાવ્યો અને તે હાલ વાયરલ થઇ રહ્યો છે.આ હોટલના જમવાની થાળીમાં વંદો નીકળતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના આનંદનગરમાં રહેતા જોધપુરના રાવલ ફેમેલીને ખુબ ખરાબ અનુભવ થયો છે. ગૃહઉદ્યોગમાંથી લાવેલા અથાણામાંથી ગરોળી નીકળી છે.ગત 28 મેં ના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્ષમાં આવેલા જૈન ગૃહઉદ્યોગ માથી અથાણું ખરીદ્યુ હતું.અથાણું દરરોજ થોડું થોડું વપરાશમાં લેવાતું હતું ત્યારે ગઈકાલે અથાણું ખતમ થવા આવતા બરણીની આખરમાં આખી નાનકડી ગરોળી નીકળી હતી.જણાવી દઈએ કે, અથાણાંના દરરોજના વપરાશના કારણે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર થઈ છે.

તો બીજી બાજુ સરખેજના પાન પાર્લરમાંથી લીધેલી ઠંડા પીણાની બોટલમાંથી કાનખજુરો નીકળ્યો હોવાનો અહેવાલ સામે આવ્યા છે. ગ્રાહક દ્વારા વિડીયો બનાવીને વાયરલ થતા હકીકત સામે આવી છે.ગ્રાહકે સરખેજમાં આવેલ ગંજ પાન પાર્લરમાંથી બોટલ લીધી હતી. આ ઠંડુ પીણું પીધા પછી તબિયત લથડી હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે. મહત્વનું છે કે, હાલ તો AMCએ વિડીયોની આધારે પાન પાર્લર સીલ કર્યુ છે.

આ અગાઉ શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરન્ટમાંથી સંભારના જગમાંથી તેમણે વાટકીમાં જ્યારે સંભાર કાઢ્યો ત્યારે એમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું, જેના કારણે તાત્કાલિક તેમણે રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવી અને બતાવ્યું હતું. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાથી AMCના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીએ વિવિધ વિસ્તારમાં ચાલતા રાત્રિ ખાણીપીણી બજારમાંથી ખાદ્યપદાર્થના સેમ્પલ લેવાની અધિકારીઓને સૂચના આપી છે. અત્યારે આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરે છે પણ તેને વધુ અસરકારક બનાવવા કહ્યું છે. જેથી લોકોને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...