Friday, January 16, 2026

અમદાવાદમાં 64 થી વધુ શાળાઓ થઇ સીલ, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો

spot_img
Share

અમદાવાદ: રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓની સીલ કરવાની કામગીરી હજુ પણ યથાવત છે. AMCની સીલીંગ કાર્યવાહીના ઘેરા પ્રતાપ પડ્યા છે. છેલ્લા બે દિવસમાં 64થી વધુ શાળાઓ સીલ કરવામા આવતા શાળા સંચાલક મંડળ રોષે ભરાયું છે. શાળાઓ દર 3 વર્ષે સ્ટ્રકચર એન્જીનિયરનુ સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરે તો તેવી શાળાઓને મંજૂરી આપવી રજૂઆત સાથે શાળા સંચાલક મંડળ મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં અંદાજીત 64 જેટલી શાળાઓ અને પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે ત્યારે શાળા સંચાલકોમાં રોષ ફાટી નિકળ્યો છે. સંચાલકોએ આ સમગ્ર મામલે તાત્કાલિક બેઠક બોલાવી શું કરી શકાય તેની ચર્ચા કરી હતી.આ બેઠકમાં કોર્પોરેશનના વલણ અને કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતું કે, શાળાને જ્યારે પણ શિક્ષણ વિભાગ દ્વારા પરમિશન આપવામા આવે છે ત્યારે બીયુ પરમિશન, ફાયર એનઓસી અને 30 વર્ષના ભાડા કરાર સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામા આવે છે અને ત્યારબાદ પરમિશન આપવામા આવે છે, ત્યારે કોર્પોરેશન વિભાગે શાળાઓ મામલે કંઇક વિચાર કરવો જોઈએ. ભૂકંપ બાદ 2001 બાદ બીયુ પરમિશન અમલમાં આવી છે એટલે જે શાળાઓ 2001 બાદ બની છે તેમની પાસે બીયુ પરમિશન હોવું જોઈએ. જોકે જે શાળાઓ 2001 પહેલા બની છે તેમની પાસે બીયુ પરમિશન ન હોય તે સ્વભાવિક છે.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફાયર અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યુ છે અને શાળાઓ સામે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...