Sunday, March 15, 2026

અમદાવાદમાં 64 થી વધુ શાળાઓ થઇ સીલ, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો

spot_img
Share

અમદાવાદ: રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓની સીલ કરવાની કામગીરી હજુ પણ યથાવત છે. AMCની સીલીંગ કાર્યવાહીના ઘેરા પ્રતાપ પડ્યા છે. છેલ્લા બે દિવસમાં 64થી વધુ શાળાઓ સીલ કરવામા આવતા શાળા સંચાલક મંડળ રોષે ભરાયું છે. શાળાઓ દર 3 વર્ષે સ્ટ્રકચર એન્જીનિયરનુ સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરે તો તેવી શાળાઓને મંજૂરી આપવી રજૂઆત સાથે શાળા સંચાલક મંડળ મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં અંદાજીત 64 જેટલી શાળાઓ અને પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે ત્યારે શાળા સંચાલકોમાં રોષ ફાટી નિકળ્યો છે. સંચાલકોએ આ સમગ્ર મામલે તાત્કાલિક બેઠક બોલાવી શું કરી શકાય તેની ચર્ચા કરી હતી.આ બેઠકમાં કોર્પોરેશનના વલણ અને કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતું કે, શાળાને જ્યારે પણ શિક્ષણ વિભાગ દ્વારા પરમિશન આપવામા આવે છે ત્યારે બીયુ પરમિશન, ફાયર એનઓસી અને 30 વર્ષના ભાડા કરાર સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામા આવે છે અને ત્યારબાદ પરમિશન આપવામા આવે છે, ત્યારે કોર્પોરેશન વિભાગે શાળાઓ મામલે કંઇક વિચાર કરવો જોઈએ. ભૂકંપ બાદ 2001 બાદ બીયુ પરમિશન અમલમાં આવી છે એટલે જે શાળાઓ 2001 બાદ બની છે તેમની પાસે બીયુ પરમિશન હોવું જોઈએ. જોકે જે શાળાઓ 2001 પહેલા બની છે તેમની પાસે બીયુ પરમિશન ન હોય તે સ્વભાવિક છે.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદમાં ફાયર અને એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યુ છે અને શાળાઓ સામે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...