Sunday, March 1, 2026

અમદાવાદમાં આ મેટ્રો સ્ટેશનની છતમાંથી વરસાદી પાણી ટપક્યું, વિડીયો થયો વાયરલ

spot_img
Share

અમદાવાદ : દેશની રાજધાની નવી દિલ્હીમાં એરપોર્ટ ટર્મિનલમાં ચાલુ વરસાદે છત પડવાની ઘટના સામે આવી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મેટ્રો રેલ સ્ટેશનની પણ આવી જ દુર્દશા સામે આવી છે. જેમાં શુક્રવારે સાંજે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદે મેટ્રો રેલ સ્ટેશનના કામકાજની પોલ ખોલી નાખી છે. જેમાં મેટ્રો સ્ટેશનની છતમાંથી ચાલુ વરસાદે પાણી ટપકી રહ્યું છે એવો વિડીયો વાયરલ થયો છે.

અમદાવાદ શહેરના ઈન્ક્મટેક્સ પાસે આવેલ જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ મેટ્રો સ્ટેશનની છતમાંથી ચાલુ વરસાદે પાણી ટપકી રહ્યું છે. આ વિડીયોમાં જોઇ શકાય છે મેટ્રો રેલ સ્ટેશનની છતમાંથી અનેક તરફથી પાણી ટપકી રહ્યું છે. જેમાં ટ્યુબલાઇટની આસપાસથી નીચે ફ્લોર પર પાણી ટપકી રહ્યું છે. જે મેટ્રો રેલ સ્ટેશનના કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સાબિત કરે છે.તમને જણાવી દઈએ કે ગત વર્ષે પણ વરસાદમાં મેટ્રો સ્ટેશન પોપડા નીકળવાની ઘટનાએ પણ ચર્ચા જગાવી હતી.

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવા સમયે સામાન્ય વરસાદમાં જો મેટ્રો રેલ સ્ટેશનની છત ટપકવા લાગી છે. ત્યારે સામાન્ય લોકોના મનમાં આ કામની ગુણવતાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. તેમજ આ કામમાં પણ શું ગેરરીતિ આચરવામાં આવી છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. તેમજ જો સામાન્ય વરસાદમાં મેટ્રો સ્ટેશનના આવા હાલ છે તો ધોધમાર વરસાદના કેવા હાલ થશે. શું લોકો ધોધમાર વરસાદમાં મેટ્રોનો ઉપયોગ કરી શકશે કેમ ? તેમજ આ દરમ્યાન મુસાફરોની સલામતીનું કોણ ધ્યાન આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...