Wednesday, January 21, 2026

અમદાવાદમાં આ મેટ્રો સ્ટેશનની છતમાંથી વરસાદી પાણી ટપક્યું, વિડીયો થયો વાયરલ

spot_img
Share

અમદાવાદ : દેશની રાજધાની નવી દિલ્હીમાં એરપોર્ટ ટર્મિનલમાં ચાલુ વરસાદે છત પડવાની ઘટના સામે આવી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મેટ્રો રેલ સ્ટેશનની પણ આવી જ દુર્દશા સામે આવી છે. જેમાં શુક્રવારે સાંજે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદે મેટ્રો રેલ સ્ટેશનના કામકાજની પોલ ખોલી નાખી છે. જેમાં મેટ્રો સ્ટેશનની છતમાંથી ચાલુ વરસાદે પાણી ટપકી રહ્યું છે એવો વિડીયો વાયરલ થયો છે.

અમદાવાદ શહેરના ઈન્ક્મટેક્સ પાસે આવેલ જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ મેટ્રો સ્ટેશનની છતમાંથી ચાલુ વરસાદે પાણી ટપકી રહ્યું છે. આ વિડીયોમાં જોઇ શકાય છે મેટ્રો રેલ સ્ટેશનની છતમાંથી અનેક તરફથી પાણી ટપકી રહ્યું છે. જેમાં ટ્યુબલાઇટની આસપાસથી નીચે ફ્લોર પર પાણી ટપકી રહ્યું છે. જે મેટ્રો રેલ સ્ટેશનના કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સાબિત કરે છે.તમને જણાવી દઈએ કે ગત વર્ષે પણ વરસાદમાં મેટ્રો સ્ટેશન પોપડા નીકળવાની ઘટનાએ પણ ચર્ચા જગાવી હતી.

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવા સમયે સામાન્ય વરસાદમાં જો મેટ્રો રેલ સ્ટેશનની છત ટપકવા લાગી છે. ત્યારે સામાન્ય લોકોના મનમાં આ કામની ગુણવતાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. તેમજ આ કામમાં પણ શું ગેરરીતિ આચરવામાં આવી છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. તેમજ જો સામાન્ય વરસાદમાં મેટ્રો સ્ટેશનના આવા હાલ છે તો ધોધમાર વરસાદના કેવા હાલ થશે. શું લોકો ધોધમાર વરસાદમાં મેટ્રોનો ઉપયોગ કરી શકશે કેમ ? તેમજ આ દરમ્યાન મુસાફરોની સલામતીનું કોણ ધ્યાન આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...