Wednesday, September 17, 2025

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, 18 ગજરાજ, 101 ટ્રકમાં સહિત વિવિધ આકર્ષણો મળશે જોવા

Share

Share

અમદાવાદ : હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી…. આગામી ૭મી જુલાઈના દિવસે અમદાવાદ શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિકળવાની છે. આ રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે, 101 ટ્રક માં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે.

રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ મહા ભોગ ધરાવવામાં આવશે. સવારે 5 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામા આવશે. આંખેથી પાટા ખોલ્યા બાદ સવારે 5.45 વાગ્યે ભગવાન રથમાં આરૂઢ થશે. 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરીને રથયાત્રાનો આરંભ કરાવશે.

ભવ્ય રથયાત્રામાં કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્ડબાજા સાથે રહેશે. 2000 જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જેન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી રથયાત્રામાં આવશે. 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ ,500 કિલો કેરી, 400 કિલો કાકડી ,દાડમ પ્રસાદી ભક્તોને વહેંચવામાં આવશે.

રથયાત્રામાં ટ્રક, ભજનમંડળીઓ, અખાડા-કરતબબાજો અને રથ જોડાતા હોય છે. ત્યારે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અખાડાઓ-કરતબબાજો. રથાયાત્રામાં અનેક અખાડાવાળા અને કરતબબાજો જોડાતા હોય છે. ત્યારે અખાડાઓ અને કરતબબાજો અલગ અલગ સ્ટંટ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.

આ અગાઉ પાંચ જુલાઈના રોજ નેત્રોત્સવ પુજન વિધી, ધ્વજારોહણ, મહાઆરતી કરવામાં આવશે. 6 જુલાઈના ભગવાનને સોનાવેશના શણગાર કરવામાં આવશે. જગન્નાથ મંદિરના પ્રાંગણમા રથ પ્રતિષ્ઠા કરવામાં આવશે.સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...