Friday, May 1, 2026

અમદાવાદ બન્યું જગન્નાથમય, ભક્તિરસમાં તરબોળ ભક્તોના આંગણે પધાર્યા ભગવાન

spot_img
Share

અમદાવાદ : આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.

અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે.રથયાત્રા એક એવો ઉત્સવ છે કે, જેમાં ભક્તિ, ખુશાલીની સાથે શારીરિક બળ પણ ઉમેરાય છે. અખાડાના કરતબ રથયાત્રામાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. આ વર્ષે પણ રથયાત્રામાં 30 અખાડા જોડાયા છે.રથયાત્રામાં કોર્પોરેશનના રામસેનાના ટેબલોએ આકર્ષણ જમાવ્યું છે. ટેબ્લો પર રામ, સીતા સહિત રામસેનાની વેશભૂષામાં કલાકારો જોવા મળ્યા. AMC ટેબ્લોમાં રામ-સીતા સાથે વાનરસેનાના વેશમાં યુવાનો આવ્યા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાઈ છે. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનને આવકારવા અને તેમનાં દર્શન માટે ઊમટી રહ્યા છે.પાંચકુઆ દરવાજાનો અદભૂત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળો ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યો, રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા. રથયાત્રામાં લોકો ભક્તિભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા.

રથયાત્રા ધીમે ધીમે આગળ વધતી જાય છે જેમાં લોકો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, જય શ્રીરામ, જય રણછોડ માખણચોરના નારા લગાવી રહ્યા છે.માથે સાફા અને હાથમાં કરતાલ સાથે યુવતીઓ ઝૂમી, રંગબેરંગી ટેબ્લો ને વિવિધ કરતબોએ જમાવ્યું આકર્ષણ.રથયાત્રામાં અનેક પ્રકારના ટેબ્લો રજુ કરાયા હતા જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવતો ટેબ્લો રજુ કર્યો હતો.

અમદાવાદના પોલીસ વિભાગે શહેરના કોટ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યો હોય તેવી સ્થિતિ છે. કોઈ પણ અવરોધ કે અનિચ્છનિય ઘટના વગર રથયાત્રા નીકળે તે માટે આયોજન થયું છે. કોઈ પણ વાંધાજનક પ્રવૃત્તિને અટકાવી શકાય તે માટે ડ્રોન કેમેરાથી સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે.

આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રા અમદાવાદના રાજમાર્ગો પર ફરી રહી છે. જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદના રસ્તાઓ ભક્તોથી ઉભરાયા છે. પ્રસાદ લેવા માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...