Tuesday, March 17, 2026

માનવતા શર્મસાર ? અમદાવાદમાં 6 વર્ષીય બાળકને ડામ આપવાની ફરિયાદ નોંધાઈ…. જાણો શું છે મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં માનવતાને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પીડિત બાળકના દાદાએ બાળકના પિતા, સાવકી માતા અને સાવકી માતાના માતા-પિતા વિરુદ્ધ FIR નોંધાવી છે. અમદાવાદની બોડકદેવ પોલીસે બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકના મેડિકલ રિપોર્ટની તપાસ અને કાઉન્સેલિંગ કર્યાના છ મહિના પછી જુવેનાઈલ એક્ટ હેઠળ FIR નોંધી છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 6 વર્ષીય બાળકનાં દાદાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટા પુત્રની પહેલી પત્નીને નાના દીકરા સાથે પ્રેમસંબંધ થતાં લગ્ન કર્યા હતા. આથી, મોટા દીકરાએ પહેલી પત્નીને છૂટાછેડાં આપીને અન્ય યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. મોટો દીકરો અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર જમાઈ તરીકે રહેવા ગયો હતો. પહેલી પત્નીથી એક દીકરો હોવાથી તેને પણ સાથે લઈ ગયો હતો.

આરોપ મુજબ, થોડા દિવસ પહેલા પહેલી પત્નીનાં બાળકને પુત્ર દાદાને ઘરે મૂકવા આવ્યો હતો. દરમિયાન, દાદાને જાણ થઈ કે 6 વર્ષીય બાળકને ડામ દેવામાં આવ્યા છે. આ મામલે હવે શાહીબાગ ખાતે રહેતા દાદાએ પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસું-સસરા સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...