Thursday, March 12, 2026

નવા વાડજના અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરની મહિલા દર્દી સાથે દાદાગીરી, તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં વિઝિટર ડોક્ટર તરીકે ફરજ બજાવતા ગાયનેકોલોજીસ્ટ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા આવતા દર્દીની સાથે અયોગ્ય વર્તન અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવા અંગે જણાવવામાં આવ્યું હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને લઈને વિઝિટર તરીકે ફરજ બજાવતા ગાયનેકોલોજિસ્ટ ડો.રાહુલ મોદીને તાત્કાલિક અસરથી વિઝિટીંગ ડોક્ટર તરીકે હટાવી દેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. રાહુલ મોદી અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવા આવતા દર્દીની સાથે અયોગ્ય વર્તન અને તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવવા અંગે જણાવવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.અઠવાડિયામાં એક દિવસ માત્ર એક કલાક માટે આવે છે અને ન્યુ રાણીપ ખાતે આવેલી તેમની શિવમ હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે રિફર કરતા હોવાનું ધ્યાન આવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં ડૉ. રાહુલ મોદી તેઓને ઓપરેશન હતું,જેથી એક કલાક મોડા આવ્યા હોવાનું અને ન્યુ રાણીપ ખાતેની પોતાની શિવમ હોસ્પિટલમાં બતાવવા આવવા માટે પણ કહેતા હોવાનું જણાય છે. અર્બન હેલ્થ સેન્ટરમાં જે ડોક્ટરનો ટાઈમ લખ્યો છે તે ડોક્ટરનો ટાઈમ બદલવા માટે પણ કહે છે અને ડોક્ટર બદલવાની ઓથોરિટી હોય તો બદલી નાખો, મને કોઈ ફરક નથી પડતો તેમ કહેતા વીડિયોમાં નજરે પડ્યા હતા.

​​​​​​​આ વીડિયોને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે કોર્પોરેશનમાં તેઓને વિઝિટર ડોક્ટર તરીકે તેઓને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ડૉ.રાહુલ મોદી શહેરના નવા વાડજ, ન્યુ રાણીપ અને વાડજ એમ ત્રણ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ત્રણેય જગ્યાએથી તેઓની આ વિઝિટર ડોક્ટર તરીકેની સેવામાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં વિઝિટર ડોક્ટર તરીકે ગાયનેકોલોજીસ્ટ સહિતના કેટલાક ડોક્ટરો ફરજ બજાવતા હોય છે. જેમને રાજ્ય સરકારના નક્કી કરેલા વેતન પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત તેઓ સવારે 9:00થી બપોરે 1:00 વાગ્યા સુધી ફરજ બજાવે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...