Friday, March 13, 2026

અમદાવાદમાં કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર, જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં

spot_img
Share

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે.જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આજે જંત્રીના વિરોધમાં અમદાવાદના બિલ્ડરોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.આ તરફ હવે બિલ્ડરોએ આવેદનપત્ર આપી વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરી છે.

રાજ્યમાં એપ્રિલ 2025થી લાગુ થનાર જંત્રીનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ક્રેડાઈના સભ્યોએ આવેદન પત્ર આપ્યુ હતું. આ આવેદન પત્રમાં વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરી તો વાંધા અરજી જે ઓનલાઇન કરવામાં આવે છે એને ઓફ લાઈન કરવા પણ માંગ કરાઇ છે. બિલ્ડરોનું કહેવું છે કે, સરકારે અરજી ઓફલાઇન તો કરી પણ કોને અરજી આપવાની એનો કોઈ ઉલ્લેખ નથી.

આ તરફ હવે ક્રેડાઈ ગુજરાતની 40 ઓફિસમાં ઓફલાઈન અરજી સ્વીકારશે ત્યારબાદ સરકારને સુપ્રત કરશે. બિલ્ડરોની માંગ છે કે, મુખ્યમંત્રી અને મહેસુલના અધિકારીઓ સાથે બિલ્ડરોની સંયુક્ત મિટિંગ થાય છે સાયન્ટિફીક પદ્ધતિથી કરાયેલા જંત્રી વધારાની સમજ માટે ડેવલપર સાથે ચર્ચા થાય. મહત્વનું છે કે, સૂચિત જંત્રી લાગુ થશે તો પ્રોપર્ટીમાં 30 થી 40 ટકા ભાવ વધારો થશે.તેમજ સામાન્ય લોકો પર આની ભારે અસર પડશે. તેમ જ બિલ્ડરના વ્યવસાયમાં પણ જંત્રી વધારો કરવામાં આવશે તો ભારે અસર પડશે અને મંદીનો માહોલ પણ જોવા મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...