Tuesday, May 5, 2026

અમદાવાદમાં કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર, જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં

spot_img
Share

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે.જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આજે જંત્રીના વિરોધમાં અમદાવાદના બિલ્ડરોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.આ તરફ હવે બિલ્ડરોએ આવેદનપત્ર આપી વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરી છે.

રાજ્યમાં એપ્રિલ 2025થી લાગુ થનાર જંત્રીનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ક્રેડાઈના સભ્યોએ આવેદન પત્ર આપ્યુ હતું. આ આવેદન પત્રમાં વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરી તો વાંધા અરજી જે ઓનલાઇન કરવામાં આવે છે એને ઓફ લાઈન કરવા પણ માંગ કરાઇ છે. બિલ્ડરોનું કહેવું છે કે, સરકારે અરજી ઓફલાઇન તો કરી પણ કોને અરજી આપવાની એનો કોઈ ઉલ્લેખ નથી.

આ તરફ હવે ક્રેડાઈ ગુજરાતની 40 ઓફિસમાં ઓફલાઈન અરજી સ્વીકારશે ત્યારબાદ સરકારને સુપ્રત કરશે. બિલ્ડરોની માંગ છે કે, મુખ્યમંત્રી અને મહેસુલના અધિકારીઓ સાથે બિલ્ડરોની સંયુક્ત મિટિંગ થાય છે સાયન્ટિફીક પદ્ધતિથી કરાયેલા જંત્રી વધારાની સમજ માટે ડેવલપર સાથે ચર્ચા થાય. મહત્વનું છે કે, સૂચિત જંત્રી લાગુ થશે તો પ્રોપર્ટીમાં 30 થી 40 ટકા ભાવ વધારો થશે.તેમજ સામાન્ય લોકો પર આની ભારે અસર પડશે. તેમ જ બિલ્ડરના વ્યવસાયમાં પણ જંત્રી વધારો કરવામાં આવશે તો ભારે અસર પડશે અને મંદીનો માહોલ પણ જોવા મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...