Monday, January 19, 2026

અમદાવાદની આ રેસ્ટોરેન્ટની ગંભીર બેદરકારી, ભાતમાંથી કાચનો મોટો ટુકડો નીકળ્યો

spot_img
Share

અમદાવાદ : જીવડા…વાસી ખોરાક અને ગરોડી નીકળવાની ઘટના બાદ હવે ભોજનમાંથી કાચ નીકળવાની ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ જાણીતા ફૂડ ઝોનમાં એક ગ્રાહક ભોજન માટે ગયો હતો. જ્યાં તેને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે મગાવેલા ભોજનમાંથી કાચનો ટૂકડો મળી આવતા ગ્રાહક ચોકી ગયો હતો અને ત્યારે રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો છે. આરોગ્ય ખાતાને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે તેમ જાણવા મળેલ છે.આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં ગઇકાલે રાત્રે આ ઘટના બની હતી. ગોતામાં એક બોક્સપાર્ક આવેલુ છે.જેમાં વામઝાઝ કરીને એક રેસ્ટોરેન્ટ આવેલુ છે. આ રેસ્ટોરેન્ટમાં એક પરિવાર ભોજન કરવા માટે ગયો હતો.જો કે જમતા દરમિયાન ભોજનમાંથી એક કાચનો ટુકડો નીકળ્યો હતો. જે પછી ગ્રાહક અને તેનો પરિવાર રોષે ભરાયો હતો. ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલકને આ અંગેની ફરિયાદ કરી હતી.

ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલક અને જવાબદાર વ્યક્તિને જ્યારે બોલાવીને પુછ્યુ કે કોઇ રેસ્ટોરેન્ટ આટલી ગંભીર બેદરકારી કેવી રીતે કરી શકે ?આટલો મોટો કાચ જે પણ રસોઇ બનાવનાર વ્યક્તિ છે તેને દેખાયો કેમ નહીં ? તો જવાબમાં રેસ્ટોરેન્ટ સંચાલકે પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યુ કે કદાચ મધની બોટલ તુટી ગઇ હશે અને તેનો કાચનો ટુકડો જમવામાં પડી ગયો હશે. રેસ્ટોરેન્ટ સંચાલકે ગ્રાહક પાસે માફી પણ માગી હતી.

જો કે આ ઘટનાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. જેમ કે કાચનો ટુકડો ખૂબ જ મોટો છે, જો ટુકડો નાનો હોત તો ખાવામાં પણ આવી ગયો હોત અને મોમાં ઇજા પણ પહોંચી શકતી હતી. જો કે સદનસીબે આવુ કઇ થયુ નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...