Thursday, March 5, 2026

અમદાવાદની આ રેસ્ટોરેન્ટની ગંભીર બેદરકારી, ભાતમાંથી કાચનો મોટો ટુકડો નીકળ્યો

spot_img
Share

અમદાવાદ : જીવડા…વાસી ખોરાક અને ગરોડી નીકળવાની ઘટના બાદ હવે ભોજનમાંથી કાચ નીકળવાની ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ જાણીતા ફૂડ ઝોનમાં એક ગ્રાહક ભોજન માટે ગયો હતો. જ્યાં તેને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે મગાવેલા ભોજનમાંથી કાચનો ટૂકડો મળી આવતા ગ્રાહક ચોકી ગયો હતો અને ત્યારે રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભો થયો છે. આરોગ્ય ખાતાને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે તેમ જાણવા મળેલ છે.આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં ગઇકાલે રાત્રે આ ઘટના બની હતી. ગોતામાં એક બોક્સપાર્ક આવેલુ છે.જેમાં વામઝાઝ કરીને એક રેસ્ટોરેન્ટ આવેલુ છે. આ રેસ્ટોરેન્ટમાં એક પરિવાર ભોજન કરવા માટે ગયો હતો.જો કે જમતા દરમિયાન ભોજનમાંથી એક કાચનો ટુકડો નીકળ્યો હતો. જે પછી ગ્રાહક અને તેનો પરિવાર રોષે ભરાયો હતો. ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલકને આ અંગેની ફરિયાદ કરી હતી.

ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલક અને જવાબદાર વ્યક્તિને જ્યારે બોલાવીને પુછ્યુ કે કોઇ રેસ્ટોરેન્ટ આટલી ગંભીર બેદરકારી કેવી રીતે કરી શકે ?આટલો મોટો કાચ જે પણ રસોઇ બનાવનાર વ્યક્તિ છે તેને દેખાયો કેમ નહીં ? તો જવાબમાં રેસ્ટોરેન્ટ સંચાલકે પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યુ કે કદાચ મધની બોટલ તુટી ગઇ હશે અને તેનો કાચનો ટુકડો જમવામાં પડી ગયો હશે. રેસ્ટોરેન્ટ સંચાલકે ગ્રાહક પાસે માફી પણ માગી હતી.

જો કે આ ઘટનાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. જેમ કે કાચનો ટુકડો ખૂબ જ મોટો છે, જો ટુકડો નાનો હોત તો ખાવામાં પણ આવી ગયો હોત અને મોમાં ઇજા પણ પહોંચી શકતી હતી. જો કે સદનસીબે આવુ કઇ થયુ નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...