Thursday, September 18, 2025

દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું થશે સાકાર ? સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો યોજનાની માહિતી

Share

Share

ગાંધીનગર : દરેક મા-બાપનું સપનું હોય છેકે, તેમનો દિકરો કે દીકરી ડોક્ટર બને. જોકે, આર્થિક સંકળામણને કારણે તેમજ ઉંચી ફી અને મોંઘા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમવર્ગના દીકરા કે દીકરી આ કક્ષા સુધી પહોંચી જ શકતો નથી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ યોજના આશીર્વાદરૂપ બનશે અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તેનો આગળનો અભ્યાસ અટકશે નહીં. તો ચાલો વિસ્તારથી જાણીએ આ યોજના વિશે…

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર દીકરીઓને સાક્ષરતા ગુણમાં વધારો કરવા માટે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં લાવી છે. જેમાં 6 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર છે. આ શિષ્યવૃતિ દર વર્ષે મળવાપાત્ર છે ફક્ત એના માટે આટલી લાયકાત ખૂબ જ જરૂરી છે.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાં દીકરીઓ માટે સરકાર 4 લાખની આર્થિક સહાય પુરી પડે છે અને આ ઉપરાંત સરકાર મુખ્યમંત્રી યુવા સ્વવલંબન મારફતે બીજા 2 લાખની સહાય આપે છે, આ રીતે રાજ્ય સરકાર દીકરીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 6 લાખ સુધીની આર્થિક સહાય આપે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે. આ ફી વધારાને કારણે હવે કેટલાય વાલીઓ ચિંતામાં મુકાયા છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ યોજના આશીર્વાદરૂપ બનશે અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તેનો આગળનો અભ્યાસ અટકશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...