Monday, November 10, 2025

દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું થશે સાકાર ? સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો યોજનાની માહિતી

spot_img
Share

ગાંધીનગર : દરેક મા-બાપનું સપનું હોય છેકે, તેમનો દિકરો કે દીકરી ડોક્ટર બને. જોકે, આર્થિક સંકળામણને કારણે તેમજ ઉંચી ફી અને મોંઘા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમવર્ગના દીકરા કે દીકરી આ કક્ષા સુધી પહોંચી જ શકતો નથી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ યોજના આશીર્વાદરૂપ બનશે અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તેનો આગળનો અભ્યાસ અટકશે નહીં. તો ચાલો વિસ્તારથી જાણીએ આ યોજના વિશે…

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર દીકરીઓને સાક્ષરતા ગુણમાં વધારો કરવા માટે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં લાવી છે. જેમાં 6 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર છે. આ શિષ્યવૃતિ દર વર્ષે મળવાપાત્ર છે ફક્ત એના માટે આટલી લાયકાત ખૂબ જ જરૂરી છે.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાં દીકરીઓ માટે સરકાર 4 લાખની આર્થિક સહાય પુરી પડે છે અને આ ઉપરાંત સરકાર મુખ્યમંત્રી યુવા સ્વવલંબન મારફતે બીજા 2 લાખની સહાય આપે છે, આ રીતે રાજ્ય સરકાર દીકરીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 6 લાખ સુધીની આર્થિક સહાય આપે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે. આ ફી વધારાને કારણે હવે કેટલાય વાલીઓ ચિંતામાં મુકાયા છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ યોજના આશીર્વાદરૂપ બનશે અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તેનો આગળનો અભ્યાસ અટકશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...