Sunday, November 9, 2025

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારીઓ ફિલ્મી સ્ટાઇલમાં લૂંટાયા, લૂંટારૂઓએ 65 લાખની લૂંટ ચલાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. જ્યાં એલિસબ્રિજ પાસે આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બે શખ્સોએ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પર એરગનથી ફાયરિંગ અને પિસ્તોલનો ગોદો મારી લૂંટ ચલાવી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે બુધવારે સાંજે લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. સીજી રોડ પર આવેલી આર કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી જમાલપુર કલેક્શન માટે ગયા હતા. બંને રીક્ષામાં બેસીને જમાલપુરથી સીજી રોડ ઓફિસે જઈ રહ્યા હતા. રીક્ષા એલિસબ્રિજ જીમખાના પાસે પહોંચી ત્યારે બે શખ્સો એક વાહન પર આવ્યા હતા. આ શખ્સોએ રીક્ષા ચાલક અને આંગડીયા કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખતા ચાલકે રીક્ષા રોકી હતી. બાદમાં બંને શખ્સોએ પેઢીના કર્મી પાસેથી બે બેગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો.

પેઢીના કર્મચારીઓએ લૂટારૂનો પ્રતિકાર કરતા લૂંટારૂ શખ્સોએ બંદૂક જેવુ હથિયાર બતાવીને ફાયરિંગ કરતા એક કર્મચારીને ઇજાઓ થઈ હતી. જેથી બંને શખ્સો 65 લાખ ભરેલા બે થેલામાંથી 40 લાખથી વધુની રકમ ભરેલો એક થેલો લૂંટીને ભાગી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરતા નવરંગપુરા, એલિસબ્રીજ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં બંને કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ઘટના અંગે પૂછપરછ કરી એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...