Thursday, January 22, 2026

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારીઓ ફિલ્મી સ્ટાઇલમાં લૂંટાયા, લૂંટારૂઓએ 65 લાખની લૂંટ ચલાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. જ્યાં એલિસબ્રિજ પાસે આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બે શખ્સોએ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પર એરગનથી ફાયરિંગ અને પિસ્તોલનો ગોદો મારી લૂંટ ચલાવી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે બુધવારે સાંજે લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. સીજી રોડ પર આવેલી આર કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી જમાલપુર કલેક્શન માટે ગયા હતા. બંને રીક્ષામાં બેસીને જમાલપુરથી સીજી રોડ ઓફિસે જઈ રહ્યા હતા. રીક્ષા એલિસબ્રિજ જીમખાના પાસે પહોંચી ત્યારે બે શખ્સો એક વાહન પર આવ્યા હતા. આ શખ્સોએ રીક્ષા ચાલક અને આંગડીયા કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખતા ચાલકે રીક્ષા રોકી હતી. બાદમાં બંને શખ્સોએ પેઢીના કર્મી પાસેથી બે બેગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો.

પેઢીના કર્મચારીઓએ લૂટારૂનો પ્રતિકાર કરતા લૂંટારૂ શખ્સોએ બંદૂક જેવુ હથિયાર બતાવીને ફાયરિંગ કરતા એક કર્મચારીને ઇજાઓ થઈ હતી. જેથી બંને શખ્સો 65 લાખ ભરેલા બે થેલામાંથી 40 લાખથી વધુની રકમ ભરેલો એક થેલો લૂંટીને ભાગી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરતા નવરંગપુરા, એલિસબ્રીજ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં બંને કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ઘટના અંગે પૂછપરછ કરી એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...