Wednesday, March 11, 2026

અમદાવાદના આ વિસ્તારમાં વાનરોનો આતંકનો ભોગ : એક બાળકીને પગે બચકું ભરી માંસનો લોચો કાઢ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં ફરી વાનરોનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરોનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી બે દિવસ પહેલા જ એક વાનરને વનવિભાગની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ આજે ફરીથી વાનરનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી વાનરની શિકાર બની હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરમાં દિવસને દિવસે કપિરાજનો આતંક વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રહેણાક વિસ્તારોમાં વાનરો અડ્ડો જમાવીને બેઠા હોય છે. ગુરુવારે સવારે વસ્ત્રાલ વિસ્તારમાં બે વ્યક્તિ પર વાનરોએ હુમલો કરવાની ઘટના બની હતી. એ બાદ બપોરના સમયે વસ્ત્રાલ વિસ્તારમાં શ્રીધર પેરેડાઇઝ નામના ફ્લેટમાં કિશોરી ચાલતી જતી હતી ત્યારે અચાનક જ પાછળથી એક વાનર આવ્યો હતો અને બાળકીના પગમાં બચકું ભરી પોતાનો શિકાર બનાવી હતી.તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ શહેરમાં પણ વાનરોનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી કરીને વનવિભાગ દ્વારા તે વાનરોને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી. અત્યારે પણ વસ્ત્રાલમાં એક બાળકી પર વાનરોએ હુમલો કર્યો અને પગે બચકું ભર્યું હતું.

એક રિપોર્ટ મુજબ સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટર પરેશ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને ફરિયાદ કરવામાં આવી હતી, તેથી તેમણે વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ વિભાગને જાણ કરી હતી, જેથી ટીમ આવી હતી અને 3થી 4 કલાકની ભારે જહેમત બાદ આ આતંક ફેલાવનારા વાનરોને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. વાનરોને પકડી લેતાં છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાલ વિસ્તારના રહીશો એના ભયમાં જીવતા હતા, એમાંથી તેમને મુક્તિ મળી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...