Friday, January 16, 2026

અમદાવાદના આ વિસ્તારમાં વાનરોનો આતંકનો ભોગ : એક બાળકીને પગે બચકું ભરી માંસનો લોચો કાઢ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વમાં વસ્ત્રાલ વિસ્તારમાં ફરી વાનરોનો આતંક સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરોનો આતંક સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હજી બે દિવસ પહેલા જ એક વાનરને વનવિભાગની ટીમ દ્વારા પાંજરે પુરાયો હતો પરંતુ આજે ફરીથી વાનરનો આતંક સામે આવ્યો છે. જોકે આ વખતે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શ્રીધર પેરા ડાઇસ નામની સોસાયટીમાં એક બાળકી વાનરની શિકાર બની હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરમાં દિવસને દિવસે કપિરાજનો આતંક વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રહેણાક વિસ્તારોમાં વાનરો અડ્ડો જમાવીને બેઠા હોય છે. ગુરુવારે સવારે વસ્ત્રાલ વિસ્તારમાં બે વ્યક્તિ પર વાનરોએ હુમલો કરવાની ઘટના બની હતી. એ બાદ બપોરના સમયે વસ્ત્રાલ વિસ્તારમાં શ્રીધર પેરેડાઇઝ નામના ફ્લેટમાં કિશોરી ચાલતી જતી હતી ત્યારે અચાનક જ પાછળથી એક વાનર આવ્યો હતો અને બાળકીના પગમાં બચકું ભરી પોતાનો શિકાર બનાવી હતી.તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ શહેરમાં પણ વાનરોનો આતંક ખુબ જ વધી ગયો છે. રાહદારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી કરીને વનવિભાગ દ્વારા તે વાનરોને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જેથી થોડા દિવસ માટે લોકોને રાહત મળી હતી. અત્યારે પણ વસ્ત્રાલમાં એક બાળકી પર વાનરોએ હુમલો કર્યો અને પગે બચકું ભર્યું હતું.

એક રિપોર્ટ મુજબ સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટર પરેશ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને ફરિયાદ કરવામાં આવી હતી, તેથી તેમણે વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ વિભાગને જાણ કરી હતી, જેથી ટીમ આવી હતી અને 3થી 4 કલાકની ભારે જહેમત બાદ આ આતંક ફેલાવનારા વાનરોને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. વાનરોને પકડી લેતાં છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાલ વિસ્તારના રહીશો એના ભયમાં જીવતા હતા, એમાંથી તેમને મુક્તિ મળી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...