Thursday, March 5, 2026

અમદાવાદની આ સ્કૂલમાં લાગેલી આગ વિશે છુપાવાયુ, વાલીઓના ભારે ઉહાપોહ બાદ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાના આદેશ

spot_img
Share

અમદાવાદ : રાજકોટ TRP અગ્નિકાંડ બાદ ગુજરાત ભરમાં ફાયર NOC અને બીયુ પરમિશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે એકમો પાસે ફાયર NOC ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. છતા પણ અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના જોવા મળે છે. ત્યારે અમદાવાદના શેલા ખાતે આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી.

જેના પગલે આજે વાલીઓએ શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો. જે બાદ સ્કૂલમાં પોલીસ દોડી આવી હતી અને અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા પણ દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં શાળાની બેદરકારી સામે આવી છે. જેના પગલે વાલીઓનો રોષ જોતા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિ એશિયાટિક સ્કૂલને બાળકોની સલામતી મામલે તમામ પાસાઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગની ઘટના બન્યાના એક દિવસ બાદ શાળાએ આગ લાગી હોવાનું સ્વીકાર્યું છે.

તમને જણાવી દઈએ કે જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર પેઈન્ટ પણ કરી દેવાયાનું સામે આવ્યું હતું. આખરે વાલીઓના હોબાળાની જાણ થતા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા સ્કૂલ પર પહોંચ્યા હતા. અને વાલીઓનો રોષ શાંત પાડ્યો હતો અને સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં ફાયર સ્મોક થયો હોવાનું અને સ્પાર્ક થયો હોવાનું સામે આવ્યું હતું. આખરે આ સમગ્ર ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સમગ્ર ઘટના મામલે ગ્રામ્ય શિક્ષણ અધિકારી પાસેથી વિગતો મેળવી હતી.

ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, બાળકોની સલામતી મામલે જ્યાં સુધી તમામ પાસાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા શાળા એ કરવાની રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...