Thursday, March 5, 2026

સોલા અને જગતપુરમાં સુએઝ પ્લાન્ટ બાબતે વિરોધ, સ્થાનિકોએ હાથમાં બેનરો દ્વારા દર્શાવ્યો ભારે રોષ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સોલા ગામ અને જગતપુર ગામ પાસે બનાવવામાં આવનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ને લઈ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. સોલા ગામ અને જગતપુરમાં આસપાસની સોસાયટીઓમાં હજારો લોકો રહે છે. જેથી સ્થાનિકો કહી રહ્યાં છે કે, મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોએ કહ્યું છે કે, સ્વાસ્થ્યને અસર થવાની આશંકા સાથે ચિંતા દર્શાવી છે. શાળા અને રહેણાંક વિસ્તાર હોવાને લઈ પ્લાન્ટ અહીં નહીં બનાવવા માટે માંગ કરવામાં આવી છે.

સોલા ગામ અને જગતપુર ગામ પાસે બનાવવામાં આવનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. ભાજપના કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી કે, આ રહેણાંક વિસ્તારોમાં એસટીપી પ્લાન્ટ બનવાને લઈ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાધrશોએ પ્રજાના હિતની કોઈપણ વાત સાંભળ્યા વિના જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને હવે સ્થાનિકો વિરોધ પર ઉતરી આવ્યા છે અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે.

સ્થાનિકોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે. જગતપુર ગામ અને સોસાયટીના વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતુ કે, વિકાસ માટે વિરોધ હોતો નથી, પરંતુ સ્થાનિકોના સ્વાસ્થ્યને અસર પહોંચે એવી ચિજોને લઈ વિરોધ દર્શાવ્યો છે. અહીં પહેલા ગાર્ડન બનાવવાનો હતો એવો પણ દાવો સ્થાનિકોએ કર્યો હતો. જેને બદલે હવે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ગટરના પાણીને ટ્રીટ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે છે. જે શહેરના બહારના ભાગે જ્યાં રહેણાંક વિસ્તાર ન હોય ત્યાં બનાવવામાં આવતો હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા સોલા ગામ અને જગતપુર પાસે નવો પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લીધો છે જેને લઈ સોલા ગામના રહીશો અને આસપાસની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...