Wednesday, January 14, 2026

રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગ બોર્ડની આ સોસાયટીએ પસંદ કર્યો સેલ્ફ-ડેવલપરનો વિકલ્પ…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એવી અનેક ખાનગી અને હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ તથા જૂના થઈ ગયેલા મકાનો કે પ્રોપર્ટીઝ છે જેનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અથવા કરવામાં આવી રહ્યું છે. એમાંય ખાસ કરીને હાઉસીંગ બોર્ડની સોસાયટીના કિસ્સાઓમાં હાઉસીંગ બોર્ડની રિડેવલપમેન્ટ પોલીસી-2016 અને હાઉસીંગના રહીશો, જયારથી પોલીસી આવી છે ત્યારથી સોસાયટીમાં જમીનના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે.જેને કારણે કેટલીક સોસાયટીઓ હાઉસીંગ બોર્ડને સાઈડમાં રાખી, સોસાયટીએ અપનાવ્યો છે સેલ્ફ-ડેવલપરનો વિકલ્પ…

નવા વાડજમાં આવેલ હાઉસીંગ બોર્ડની આનંદનગર એપાર્ટમેન્ટના રહીશોએ સેલ્ફ-ડેવલપરનો વિકલ્પ પસંદ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.સોસાયટીના પ્રમુખ નટુભાઈ પટેલના જણાવ્યા મુજબ હાઉસીંગ બોર્ડે જમીનના તમામ ખર્ચ વ્યાજ સાથે લઈ લીધુ છે એટલે કે જમીનના રૂપિયા ચુકવી દીધા છે, મતલબ જમીનના માલિકો આપણે પોતે છીએ, રહીશોની મરજી મુજબ રિડેવલપમેન્ટ કેમ ન કરી શકીએ, જેથી અમોએ સેલ્ફ-ડેવલપરનો વિકલ્પ પસંદ કરીને અમારો ખાનગી ડેવલપર સાથે વાતચીત ચાલું છે.

તેઓ વધુમાં જણાવે છે કે અમારો ડેવલપર મુળ 1 બીએચકેની સામે નવુ બાંધકામ 3 બીએચકે આપવા સંમત થયા છે, આ સિવાય મકાન ખાલી કરતા સમયે દરેક રહીશને દોઢ લાખ ડેવલપર આપશે, 15000 હજાર ભાડુ સહિત અન્ય તમામ એમીનીટીઝ આપવા તૈયાર છે, તો શા માટે આ વિકલ્પ પસંદ ન કરી શકાય, હાઉસીંગ બોર્ડની પોલીસી મુજબ મુળ બાંધકામના 40 ટકા વધુ બાંધકામ ખૂબ નાનુ મકાન મળે છે, જેનો રહીશો સાથે અન્યાય કરતા હોવાનો હાઉસીંગ બોર્ડ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે.

તેઓએ છેલ્લે જણાવ્યું હતું કે આ અંગે સોસાયટીમાં ડેવલપરની હાજરીમાં મિટીંગ પણ કરી હતી, અમારા સભ્યોની હાજરીમાં સંમતિથી રિડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છે. 60 ટકા સંમતિ તૈયાર છે 75 ટકા સંમતિ થશે એટલે એગ્રીમેન્ટ કરીશું.આનાથી કોઈ સારુ આપી શકે નહીં, હાઉસીંગ બોર્ડને એક વિનંતી જો તમે સરકાર લોકો માટે 1 કરોડ મકાનો બાંધવાનું કહે છે તો અમોને મોટા અને સારા બનાવી આપો, આમાંથી સરકારને આવક પણ થશે એટલે આશા રાખીએ અમારા પ્રોજેકટને મંજુરી આપે અને હાઉસીંગ બોર્ડ સહમત થાય…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...