Friday, May 1, 2026

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી નવા સમયે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, પશ્ચિમ રેલવેએ બદલ્યો સમય, જાણો

spot_img
Share

મુંબઈ : ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસના સમયમાં પશ્ચિમ રેલવેએ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ માટે વંદે ભારત હવે નવા સમય પર ચાલશે. અત્યાર સુધી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 3.55 કલાકે ઉપડતી હતી, પરંતુ હવે આ ટ્રેન થોડી વહેલી ઉપડશે. પશ્ચિમ રેલવેએ વંદે ભારત ટ્રેન ઉપડવાનો નવો સમય બપોરે 3.45 કલાક કર્યો છે. એટલે કે મુંબઈથી ટ્રેન 10 મિનિટ વહેલી ઉપડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓપરેશનલ કારણોસર, 24 ઓગસ્ટ, 2024 થી ટ્રેન નંબર 22961 ના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ ફેરફાર ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ માટે છે. અમદાવાદથી મુંબઈ જવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા સમય મુજબ, વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 3.55ને બદલે બપોરે 3.45 કલાકે ઉપડશે, એટલે કે 24 ઓગસ્ટથી 10 મિનિટ વહેલા ઉપડશે. ટ્રેન મુંબઈમાં બોરીવલી ખાતે 4.20 થી 4.23ના બદલે 4.10 થી 4.13 દરમિયાન રોકાશે. તેવી જ રીતે, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનના હોલ્ટના સમયમાં પણ પાંચ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર 9.25ના બદલે 9.15 વાગ્યે આવશે.

તમને જણાવી દઈએ કે વંદે ભારત જે રૂટ પર ચાલે છે. જેના પર ભવિષ્યમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની છે. પશ્ચિમ રેલવેએ આ રૂટ પર વંદે ભારતને 160ની સ્પીડથી દોડાવવાની તૈયારી પૂરી કરી લીધી છે. સૂત્રો પ્રમાણે આગામી મહિને એટલે કે 14 ઓગસ્ટથી વંદે ભારતને નવી સ્પીડ મળી શકે છે. મુંબઈથી અમદાવાદ અને ગાંધીનગર સુધી સુચારૂ સંચાલન માટે આખા રૂટ પર બીમ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ સાથે પશ્ચિમ રેલવેએ ટ્રેક અને સિગ્નલ સિસ્ટમને એડવાન્સ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...