Wednesday, March 11, 2026

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી નવા સમયે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, પશ્ચિમ રેલવેએ બદલ્યો સમય, જાણો

spot_img
Share

મુંબઈ : ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસના સમયમાં પશ્ચિમ રેલવેએ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ માટે વંદે ભારત હવે નવા સમય પર ચાલશે. અત્યાર સુધી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 3.55 કલાકે ઉપડતી હતી, પરંતુ હવે આ ટ્રેન થોડી વહેલી ઉપડશે. પશ્ચિમ રેલવેએ વંદે ભારત ટ્રેન ઉપડવાનો નવો સમય બપોરે 3.45 કલાક કર્યો છે. એટલે કે મુંબઈથી ટ્રેન 10 મિનિટ વહેલી ઉપડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓપરેશનલ કારણોસર, 24 ઓગસ્ટ, 2024 થી ટ્રેન નંબર 22961 ના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ ફેરફાર ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ માટે છે. અમદાવાદથી મુંબઈ જવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા સમય મુજબ, વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 3.55ને બદલે બપોરે 3.45 કલાકે ઉપડશે, એટલે કે 24 ઓગસ્ટથી 10 મિનિટ વહેલા ઉપડશે. ટ્રેન મુંબઈમાં બોરીવલી ખાતે 4.20 થી 4.23ના બદલે 4.10 થી 4.13 દરમિયાન રોકાશે. તેવી જ રીતે, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનના હોલ્ટના સમયમાં પણ પાંચ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર 9.25ના બદલે 9.15 વાગ્યે આવશે.

તમને જણાવી દઈએ કે વંદે ભારત જે રૂટ પર ચાલે છે. જેના પર ભવિષ્યમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની છે. પશ્ચિમ રેલવેએ આ રૂટ પર વંદે ભારતને 160ની સ્પીડથી દોડાવવાની તૈયારી પૂરી કરી લીધી છે. સૂત્રો પ્રમાણે આગામી મહિને એટલે કે 14 ઓગસ્ટથી વંદે ભારતને નવી સ્પીડ મળી શકે છે. મુંબઈથી અમદાવાદ અને ગાંધીનગર સુધી સુચારૂ સંચાલન માટે આખા રૂટ પર બીમ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ સાથે પશ્ચિમ રેલવેએ ટ્રેક અને સિગ્નલ સિસ્ટમને એડવાન્સ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...