Wednesday, March 11, 2026

શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, સાર્વજનિક ગણેશોત્સવમાં માટીની મૂર્તિ 9 ફૂટ, POPની મૂર્તિ 5 ફૂટથી મોટી રાખી શકાશે નહીં

spot_img
Share

અમદાવાદ : ગણેશોત્સવને હવે માંડ સવા મહિનો બાકી રહ્યો છે ત્યારે તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ 9 ફૂટ જ્યારે POPની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યું છે.જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ ગણેશોત્સવમાં ભીડ એકત્રિત કરવાને લઈને તેમજ ફાયર સેફ્ટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહિ બનાવી શકાય જ્યારે POPથી બનેલી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટની જ હોવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવા જણાવાયું છે.

7 સપ્ટેમ્બર 2024થી ગણેશોત્સવ શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં ગયા વર્ષ 500થી 600 જગ્યાએ સાર્વત્રિક રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે પણ તેમાં મોટી વધઘટ નહીં હોવાનું આયોજકોનું કહેવું છે. જ્યારે બીજી બાજુ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સાર્વજનિક રીતે ગણેશોત્સવનું આયોજન કરતા આયોજકોએ પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત કરાવવી પડશે.

આયોજકો કેટલા દિવસ માટે સ્થાપન કરી રહ્યા છે, ક્યાં કરી રહ્યા છે, કેટલા લોકો દર્શન કરવા આવે તેવો અંદાજ છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શું વ્યવસ્થા કરી તેમજ વિસર્જનનો રૂટ અને કયા કુંડમાં વિસર્જન કરવાના છે તે તમામ માહિતી નોંધણી સમયે જ દર્શાવવી પડશે. ત્યાર બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

આ નિયમો દરેક આયોજકોએ પાળવા જ પડશે

-ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવી શકાશે નહીં, વેચી શકાશે નહીં અને સ્થાપના પણ કરી શકાશે નહીં.
-POPની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટ કરતાં વધારે રાખી શકાશે નહીં તેમ જ POPની મૂર્તિનું નદી, તળાવમાં વિસર્જન કરી શકાશે નહીં.
-મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે તેમ જ જ્યાં વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથો નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં તેમ જ મૂર્તિ રોડ પર મૂકવી નહીં અને ખંડિત મૂર્તિ બિનવારસી છોડવી નહીં.
-પાણીમાં સરળતાથી ઓગળે નહીં તેવા ઝેરી કેમિકલ કે કલરનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે કરવો નહીં.
-કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિહ્ન, નિશાનવાળી મૂર્તિ બનાવવી નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...